સમગ્ર વિશ્વમાંથી 140 લગ્નોત્સુક રઘુવંશી ડૉક્ટર્સએ ભાગ લીધો.
આગામી મહિનાઓમાં આ પ્રકારનાં, અલગ અલગ કેટેગરી વાઇઝ ઓન લાઈન,નિઃશુલ્ક પરિચય મેળાઓ થતાં રહેશે જેથી સમાજની શક્તિ,સમય,સંપત્તિનો બચાવ થાય અને ઝડપથી-પરિણામ લક્ષી કાર્ય ટેકનોલોજીનાં સહકારથી થઈ શકે – મનુભાઈ મીરાણી, મિત્તલ ખેતાણી
૨ઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક,જ્ઞાતિ શ્રેષ્ઠી મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોઉત્સુક યુવક–યુવતીઓ માટે નિઃશુલ્ક ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ ઓનલાઈન પરીચય મેળાનું આયોજન કરાયું હતું.જેમાં 95 ડોક્ટર્સ યુવતીઓ અને 45 ડોક્ટર્સ યુવાનોએ ઉત્સાહભેર ઓનલાઇન ભાગ લીધો હતો. સૌ લગ્નોત્સુક ઉમેદવારોને ઓનલાઇન જ પોતાનો પરિચય આપવાની તક અપાઈ હતી જેથી ઉભય પક્ષે પસંદગીની અનુકુળતા રહે.લગભગ ત્રણ કલાક સુધી ઓનલાઇન ચાલેલા આ પરિચય મેળા થકી અનેક જોડીઓ વૈશ્વિક કક્ષાએ પરમાત્માની કૃપાથી સર્જાશે તેવો આશાવાદ નિમિત્ત આયોજકોએ વ્યક્ત કર્યો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં લાખો રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે એક દશકાથી વધારે સમયથી જુનાગઢના ડેપ્યુટી મેયર અને અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચાનાં માર્ગદર્શનમાં અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના સેવારત છે. જ્ઞાતિ સેવા માટે કેન્દ્રિય સંગઠનનાં પદુભાઈ રાઈચુરા, કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા,મહિલા શ્રેષ્ઠી શ્રીમતી કશ્મીરાબેન નથવાણી,જગદીશભાઈ જોબનપુત્રા સહિતનાંઓ સૌરાષ્ટ્ર-કચ્છ સંગઠનને માર્ગદર્શન આપી રહ્યાં છે.
યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘ચેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુક્ત સમાજ’ બને, તથા કમળા ફૂલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક શ્રી રઘુવંશી વૈવિશાળ માહીતી કેન્દ્ર માં પ્રવેશ અપાઈ રહયો છે. વૈવિશાળ માહિતી-માર્ગદર્શન અપાઈ છે.આ નિયમનું અત્યંત કડક અમલીકરણ કરાઈ રહ્યું છે.થેલેસેમિયા સમિતિનાં અધ્યક્ષ જીતુલભાઈ કોટેચા અને દીપકભાઈ રાજાણી, કલ્પેશ પલાણ, હિરેન વડેરા વિ.ટિમનાં માર્ગદર્શન માં આગામી દિવસોમાં ‘થેલેસેમિયા મુક્ત સમાજ’ની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી થશે.
રઘુવંશી સમાજના વૈશ્વીક શ્રેષ્ઠીઓ આ પરીચય મેળાને આશીર્વાદ આપવા ઓનલાઈન ઉપસ્થિત રહ્યાં હતાં.અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેનાનાં મહામંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયાએ આયોજનને બિરદાવ્યું હતું.
સમગ્ર આયોજન અંગે લોહાણા સમાજની બધી સંસ્થાઓ, મેરેજ માહિતી કેન્દ્રના સંચાલકોનો સક્રિય સહયોગ મળ્યો હતો. સમગ્ર વિશ્વના રઘુવંશી ડોકટર્સોના વિવિધ એસોસીએશનના સર્વે અગ્રણીઓનો પણ સક્રિય સહયોગ મળ્યો હતો.ભવિષ્યમાં પણ નિઃશુલ્ક, રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે શ્રી રઘુવંશી ડોકટર્સ પંસદગી સમારોહની વિશેષ માહિતી માટે મનુભાઈ મીરાણી (મો.૯૪૨૮૪૬૬૬૬૩), અને વોટસએપ પર બાયોડેટા મોકલવા માટે, મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯). સંજયભાઈ ક્કકડ (મો.૯૮૨૪૦૪૩૭૯૯), નિતીનભાઈ ભુપતાણી (મો.૯૪૨૬૪૬૦૨૯૫), પ્રફુલભાઈ ચંદારાણા (મો.૯૪૨૬૪૦૬૭૩૨) પર સંપર્ક કરવો. આ ઓનલાઈન પરીચય મેળામાં સમગ્ર વિશ્વમાંથી 140 લગ્નોત્સુક રઘુવંશી ડોકટર્સ ભાગ લીધો હતો.
શ્રી અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)ના ઉપક્રમે રઘુવંશી ડોકટર્સ યુવક-યુવતીઓ માટે ઓનલાઇન ‘શ્રી રઘુવંશી ડોકટર્સ પરીચય મેળા ને સફળ બનાવવા માટે અખિલ સૌરાષ્ટ્ર-કચ્છ રઘુવીર સેના–રાજકોટનાં પ્રમુખ મિતલ ખેતાણી, સલાહકાર સમિતીના અધ્યક્ષ અને પૂર્વ મેયર જનકભાઈ કોટક, સૌરાષ્ટ્ર-કચ્છની યુવા પાંખના અધ્યક્ષ કલ્પેશ હરીશભાઈ પલાણ, ઉપપ્રમુખો ભરતભાઈ કોટક, દિપકભાઈ રાજાણી, ગૌરાંગભાઈ ઠકકર, નલીનભાઈ તન્ના, ચંદુભાઈ રાયચુરા,મહામંત્રીઓ સંજયભાઈ કકકડ અને કનુભાઈ હિંડોચા, થેલેસેમીયા સમિતીનાં જીતુલભાઈ કોટેચા, ધર્મેશભાઈ કકકડ, બાલાભાઈ સોમૈયા, રાજકોટ યુવા પાંખના અધ્યક્ષ હિરેન વડેરા, ચેતનભાઈ ગણાત્રા, રાજેશભાઈ કારીયા, ધીરેન્દ્રભાઈ કાનાબાર, કિરીટભાઈ કેસરીયા, પ્રફુલભાઈ ચંદારાણા, નીતીનભાઈ ભુપતાણી, પાર્થ ધામેચા, મિત્સુ ઠકરાર સહિતનાંઓએ જહેમત ઉઠાવી હતી.સંકલન અંગે સુંદર સહયોગ હિરેનભાઈ મહેતાનો મળ્યો હતો.નિવૃત કલેક્ટર હાલાણીસાહેબ, પ્રત્યક્ષ આ સત્કર્મ ને પ્રોત્સાહન આપવા ઉપસ્થિત રહ્યાં હતાં.આગામી મહિનાઓમાં આ પ્રકારનાં, અલગ અલગ કેટેગરી વાઇઝ ઓન લાઈન,નિઃશુલ્ક પરિચય મેળાઓ થતાં રહેશે જેથી સમાજની શક્તિ,સમય,સંપત્તિનો બચાવ થાય અને ઝડપથી-પરિણામ લક્ષી કાર્ય ટેકનોલોજી નાં સહકારથી થઈ શકે તેવી ઘોષણા મનુભાઈ મીરાણી, મિત્તલ ખેતાણી એ કરી હતી.
