તા. 15/05/2022,રવિવારનાં રોજ લોહાણા મહાજન વાડી, અમરેલી ખાતે નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન
૨ઘુવંશી સમાજનાં વરિષ્ઠ સમાજ સેવક,જ્ઞાતિ શ્રેષ્ઠી મનુભાઈ મીરાણી દ્વારા ૨૧ વર્ષથી લોહાણા સમાજનાં લગ્નોત્સુક યુવક–યુવતીઓ માટે ‘રઘુવંશી વૈવિશાળ માહિતી કેન્દ્ર’ ચલાવવામાં આવે છે. અમરેલી લોહાણા મહાજન દ્વારા મનુભાઈ મીરાણીના માર્ગદર્શનમાં રઘુવંશી યુવક-યુવતીઓ માટે નિઃશુલ્ક શ્રી રઘુવંશી પરીચય મેળાનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું છે . આ પરિચય મેળા થકી અનેક જોડીઓ વૈશ્વિક કક્ષાએ પરમાત્માની કૃપાથી સર્જાશે તેવો આશાવાદ નિમિત્ત આયોજકોએ વ્યક્ત કર્યો છે . આ નિઃશુલ્ક પરિચય મેળાનું આયોજન તા. 15/05/2022, રવિવારનાં રોજ માતુશ્રી અંબાબેન નરસી દાસ સોઢા,લોહાણા મહાજન વાડી,લાઠી બાયપાસ રોડ, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે.
સમગ્ર અમરેલીના રઘુવંશીઓનાં શૈક્ષણીક, મેડીકલ, સુરક્ષા, સેવાકીય સહીતનાં ક્ષેત્રોમાં પ્રગતી માટે અમરેલી લોહાણા મહાજન જ્ઞાતિ સેવા માટે સંગઠનનાં પ્રમુખ જીતુભાઈ સોમૈયા , ઉપપ્રમુખ સતિષભાઈ આડતિયા , ભાવેશભાઈ સોઢા, જગદીશભાઇ સેલાણી , રમણીકભાઈ ગઢીયા , ભાવેશભાઈ આડતીયા , ભરતભાઇ સોનપાલ , મનોજભાઇ સોનપાલ સંગઠનને માર્ગદર્શન આપી રહ્યાં છે.
યુવક-યુવતીઓ ‘લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ’ અચુક કરાવે અને તેના થકી આગામી વર્ષોમાં ‘ચેલેસેમીયા મુકત રઘુવંશ, થેલેસેમીયા મુક્ત સમાજ’ બને, તથા કમળા ફૂલ જેવા બાળકો મોતના મુખમાં જતા અટકે તેવા ઉમદા, પવિત્ર આશયથી હવેથી થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હોય તેને જ નિઃશુલ્ક પ્રવેશ અપાઈ રહયો છે. વૈવિશાળ માહિતી-માર્ગદર્શન અપાઈ છે.
અમરેલી ખાતે યોજાનાર નિઃશુલ્ક પરિચય મેળામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અમરેલી લોહાણા મહાજનની સલાહકાર સમિતિનાં જીતુભાઇ સોમૈયા (મો. 9426735127), સતિષભાઇ આડતિયા , (મો.9879069779 ), ભાવેશભાઇ સોઢા (મો. 9904756956), રોમીલભાઈ ગઢિયા , (મો. 7016645895) નો સંપર્ક કરવા મનુભાઈ મિરાણી (મો. 9428466663) ની યાદીમાં જણાવાયું છે.