ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા સંસ્થા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મુંબઈના નાલાસોપારા ખાતે ગુરુ ભગવંતની હાજરીમાં 50 થી વધુ જરૂરિયાતમંદ હેન્ડીકેપ વ્યક્તિઓને વ્હીલચેર , ટ્રાઇસાઇકલ , વોકરનું અનુદાન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમનું ઉદ્ઘાટન દાતાઓ અને મહેમાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ત્રણ મહિનામાં 100થી પણ વધુ વ્હીલચેરનું અનુદાન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને ટ્રાઇસાઇકલ આપીને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી હતી. આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી દરરોજ 140 નિરાધાર વડીલોને બપોરનું ટિફિન તેમના ઘર સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. અને તેમની મેડિકલ જરૂરિયાત પણ પૂરી કરવાની કોશિશ કરી રહ્યા છે. જરૂરિયાતમંદ દર્દીઓને વ્હીલચેર આપવાનું કાર્ય સફળ બનાવવા માટે આદિ જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. ૯૯૨૦૪૯૪૪૩૩) ભરતભાઇ મહેતા (મો.9322222928), અશોકભાઈ લોઢા (મો.૯૮૨૦૨ ૭૪૬૨૦), હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦૪૩૨૭૨) તેમજ સાથી ટીમ એ જહેમત ઉઠાવી હતી.
