• તા.13/03/2022,રવિવારના રોજ બોડાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ખાતે ઉદઘાટન અને દાતાઓની અનુમોદના કાર્યક્રમ

ભગવાન શ્રી મહાવીર સ્વામીની કરૂણા જગતના સર્વ જીવો પ્રત્યે વહેતી આવી છે. સર્વ જીવ સૃષ્ટિના રક્ષણનો બોધ જેમણે આપ્યો છે તેવા શ્રી મહાવીર સ્વામીના ઉપદેશનું આંશીક અનુસરણ કરવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ કાર્યરત રહે છે. લોકડાઉન દરમ્યાન ગુજરાતમાં આવેલ ગૌશાળા/પાંજરાપોળમાં લગભગ ૧ કરોડ રૂપીયાથી વધુનો ચારો અલગ-અલગ પાંજરાપોળમાં પુરો પાડેલ. ખેડૂતના અશકત પશુ જે ખેડૂતોને બોજરૂપ લાગે છે જે ખડકીના દલાલ થકી કતલખાનામાં ન ધકેલાય, તેવા પશુઓને ખેડૂત પાસેથી લઈ પાંજરાપોળ સુધી પહોંચાડવાની તેમજ નિભાવની જવાબદારી સંસ્થા વતી લેવામાં આવે છે. છેલ્લા ૨૦ વર્ષ દરમ્યાન અંદાજે ૯૦,૦૦૦ થી વધુ જીવોને અભયદાન ગુજરાતની પાંજરાપોળમાં આપી ચુકેલ છે. પાંજરાપોળને પણ પશુ બોજરૂપ ન બને તે માટે પાંજરાપોળમાં દતક યોજના વર્ષ માટેનો નકરો રૂા. ૧૨,૦૦૦/- રાખી તે પ્રમાણે આવક પાંજરાપોળમાં ઉભી કરવામાં આવે છે. શ્રી ઈન્દુમણી અમીઝરા વાસુપૂજય જીવરક્ષા અભિયાન અંતર્ગત ૬ વર્ષ પહેલા ગામે ગામ પંખીઘર ચબતરા બનાવવાની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં પથ્થરમાં બનાવેલ અલગ-અલગ ૯ થી ૧૦ ડિઝાઈનો અભિયાન દ્વારા બનાવવામાં આવી. આ અભિયાનમાં જેમ જેમ દાનેશ્વરી દાતાઓ મળતાં ગયા તેમ તેમ દાનેશ્વરી દાતાઓ અને૧૩૨ સભ્યોનાં સાથ સહકારથી અત્યાર સુધીમાં ૬૧ પંખીઘર ચબુતરા તૈયાર થઈ ગયા છે અને તે સિવાય ૧૩ પંખીઘર ચબુતરાનું કાર્ય ચાલુ છે. આ પંખીઘરોની અંદર ૬૦ ઘરોથી ૬૦૦ ઘર સુધીનાં પંખીઘર બનાવવામાં આવે છે. જેમાં હજારો પંખીઓ રહી શકે તે રીતે તેમને અલગ અલગ પ્રાઈવેટ ફ્લેટ આપવામાં આવે છે. હવાઉજાસ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. અભિયાન દ્વારા તે સિવાય પાંજરાપોળ વિકાસનાં પણ કાર્યો કરવામાં આવે છે.આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટનાં સહયોગથી  ઇન્દ્રમણી અણીઝરા વાસુપૂજ્ય જીવરક્ષા અભિયાન અંતર્ગત બોડાદ મહાજન પાંજરાપોળમાં 21 માળના પક્ષીઘરનું નિર્માણ થયુ છે. તા.13/03/2022,રવિવારના રોજ સાંજે 4-30 થી 6-00 વાગ્યા સુધી બોડાદ મહાજન પાંજરાપોળ તેમજ ગૌ શાળા ખાતે ઉદ્ઘાટન અને દાતાઓની અનુમોદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.  આ પક્ષીઘરનાં નિર્માણ માટેનું દાન પ. પૂ. માતુશ્રી સૂર્યાબેન અને પ. પિતાશ્રી અનિલભાઈની પુણ્ય સ્મૃતિ નિમિતે મૌસમબેન નેહલભાઈ શાહ (મુંબઈ) દ્વારા આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટના જયેશભાઈ શાહ (જરીવાલા) (મો. 9920494433), હિતેશભાઈ સંઘવી (મો. 98700 43272) દ્વારા જાહેર આમંત્રણ અપાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *