સમગ્ર વિશ્વના ૩૦ લાખ રઘુવંશીઓની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના ભૂતપૂર્વ વરીષ્ઠ ઉપપ્રમુખ, અખિલ ગુજરાત લોહાણા સમાજનાં ભૂતપૂર્વ પ્રમુખ, અમદાવાદ સ્થિત જ્ઞાતિબંધુઓ પરિવાર સાથે માણી શકે તેવા વૈવિધ્યસભર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરતી સંસ્થા લોહાણા મિલનમાં ઉમંગભાઈ ઠક્કર પ્રમુખ તરીકે સેવાઓ આપી ચુક્યા છે. સ્વામીનારાયણ ભગવાન સમર્પતિ ધાર્મિક પ્રવૃતિઓ કરતા મીલનસાર, નમ્ર,સેવાભાવી, સરળ પ્રકૃતીનાં ઉમંગભાઈ મુકબધીર બાળકો માટે ચાલતી ઉમંગ મુક બધીર શાળાના મેનેજીંગ ટ્રસ્ટી છે. ઉપરાંત અમદાવાદનીં કર્ણાવતી કલબ, રાજપથ કલબ, વાય.એમ.સી.એ. કલબ વગેરેમાં બોર્ડ મેમ્બર તરીકે સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. વ્યવસાય ક્ષેત્રે અમદાવાદની ધર્મદેવ ઈન્ફ્રાસ્ટ્રકચર અને હોટલ પતંગના માલિક છે. સમગ્ર ગુજરાતમાં એફોર્ડેબલ હાઉસીંગના પ્રણેતા છે. ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની સંસ્થાઓ ક્રેડાઈ, અમદાવાદ બિલ્ડર્સ એસોસીએશન વગેરેમાં પણ મહત્વના હોદ્દા પર સેવા આપી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ જ્ઞાતિ સેવા- સંગઠન- સલાહકારના અતિ આગ્રહી એવા ધર્મદેવ ગ્રુપના ચેરમેને એવા ઉમંગભાઈ ઠક્કરની લોહાણા મહાપરિષદ અને રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટી તરીકે મધ્યસ્થ મહા સમિતિમાં નિમણુંક થઈ છે. ઉમંગભાઈ ઠક્કરનો (મો: ૯૮૨૫૦ ૪૭૭૩૮).
ઉમંગભાઈ ઠક્કરને લોહાણા મહાપરીષદ અને રઘુવંશી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી બનાવવા બદલ અભિનંદન
