• રાજકોટની જેમ સમગ્ર રાજ્યમાં રામનવમી તેમજ મહાવીર જયંતી નિમિતે રાજયમાં કતલખાના બંધ રાખવા વિનંતી

હિન્દુ ધર્મના અતિ પવિત્ર તહેવાર રામનવમી તેમજ જૈન ધર્મનાં અતિ પવિત્ર તહેવાર મહાવીર જયંતી નિમીતે ગુજરાતનાં તમામ કતલખાના બંધ રાખવા, કતલ કરવા પર રોક લગાવી, માંસ મટન, ચીકન, મચ્છીના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવા, તેનું કડક અમલીકરણ કરાવવા અને આ જાહેરનામાની બહોળી પ્રસિધ્ધ કરાવવા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈન દ્રારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે.

તંત્ર દ્વારા અમુક તહેવારો માટે દર વર્ષે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવે છે તો આ વર્ષે પણ ‘રાજકોટની જેમ સમગ્ર રાજ્યમાં’ સત્વરે રામનવમી અને મહાવીર જયંતીનાં તહેવાર માટે જાહેરનામું બહાર પડાવી કાયદેસર અને ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ, માંસની દુકાનો પર પ્રતિબંધીત આદેશ બહાર પડાવવાની રજૂઆત કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનીમલ હેલ્પલાઈનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્ર કાનાબાર, પ્રતિક સંઘાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, રમેશભાઇ ઠકકર, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *