• કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનના સેક્રેટરી તથા જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનાં જન્મદિવસ નિમિતે સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે શેણી મેમોરિયલ ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન શેલ્ટર, રાજકોટ ખાતે રક્તદાન કેમ્પ  
  • દિવાળીનાં તહેવારોમાં ગરીબ દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાની અમૂલ્ય તક
  • સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કમાં તમામ બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત

દિવાળીનાં તહેવારોમાં દર્દીઓને તકલીફ ન પડે તેવા ઉમદા હેતુથી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઇનના સેક્રેટરી તથા જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિકભાઈ સંઘાણીનાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમૂલ્ય  માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પિડીત બાળકો નિઃશુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારનાં બ્લડ ગ્રુપની તાતી જરૂરીયાત છે. તેમજ દિવાળીનાં તહેવારોમાં કેમ્પો ઓછા થતાં હોય , જરૂરિયાત ખૂબ વધી જતી હોય છે. સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોનાં લાભાર્થે, શેણી મેમોરિયલ ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન શેલ્ટર, શેઠનગરની બાજુમાં, એફ.સી.આઇ. ગોડાઉન રોડ, શ્રેયસ સ્કૂલ પાસે તા. ૧૪/૧૦/૨૦૨૨, શુક્રવારનાં રોજ સાંજે  ૦૭૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી રક્તદાન કરી માનવ જીંદગીઓ બચાવવા વિનંતી કરવામાં આવી છે. સંસ્થાઓ, સોસાયટીઓ, સેવાભાવીઓ તાત્કાલીક રકતદાન કેમ્પનું પણ આયોજન કરે તો સીવીલ હોસ્પીટલ બ્લડ બેન્ક આપનાં સ્થળેથી રકતદાન સ્વીકારવામાં આવશે, નાના કેમ્પ હશે તો પણ થઈ શકશે. અત્યારની પરિસ્થિતિમાં રકતદાન કેમ્પોની સંખ્યા નહીવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રકતદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. હાલ રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થાય છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડીત બાળકોનાં જીવન બચાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ ભેટ અર્પણ કરી પ્રોત્સાહીત કરાશે. વધુ માહિતી માટે મિતલ ખેતાણી (9824221999) અને પ્રતિક સંઘાણી(મો. 99980 30393)નો સંપર્ક કરવા જણાવાયું છે.

રકતદાન જીવનદાન”

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *