• ૧૩૫ વર્ષથી જીવદયાની અવિરત પ્રવૃતિ કરી રહેલા હાલ સંસ્થામાં આશરે 3૦૦૦ નિરાધાર પશુઓ શાતાકારી રીતે આશ્રય લઈ રહયાં છે.

આપના પરીવારમાં તથા સ્નેહીમિત્રોમાં ઉજવાતા જન્મદિવસ, વેવિશાળ લગ્નોત્સવને એકાદ પશુનો જીવનોત્સવ બનાવો, કર્મ સંયોગે આવેલી માંદગીની અશાતા ટાળવા કોઈ એક પશુને અભયદાન આપી તેમને મહાશાતા આપો, સ્વજનના મૃત્યુના દુઃખદ પ્રસંગે એકાદ પશુને અભયદાન આપી, અનંત આશીર્વાદના સદભાગી બનો. દિવાળી, પર્યુષણ તથા ઉતરાયણ જેવા પવિત્ર પર્વના ધર્મોત્સવમાં અનેક જીવોને પણ પોષણ બક્ષી પર્વોપાસનાને દયાના રંગથી મઢી દો.

“નથી વાચા આપી પ્રભુએ અમારી આંખડીને રડતી તો જુઓ,મૌન બની જખ્મો વેઠયા છે. અમારા આંસુન દર્પણ બનાવીને તો જુઓ,નથી માગ્યો અમારા ઋણનો બદલો કયારેય….તમારી પાસેથી બને તો અભયદાન આપી, તમારી ફરજ પૂરી તો કરી જુઓ. આપણે સૌ જીવદયા પ્રેમી “જીવો અને જીવવા દો’ થી પણ એક ડગલું આગળ વધીને ‘મુશ્કેલી વેઠીને પણ જીવાડો’ ના ચાહક બનીએ,

૧૩૫ વર્ષથી જીવદયાની અવિરત પ્રવૃતિ કરી રહેલા હાલ સંસ્થામાં આશરે ૩૦૦૦ નિરાધાર પશુઓ શાતાકારી રીતે આશ્રય લઈ રહેલ છે એક જ દિવસનો આશરે રૂા. ૧,૫૧,૦૦૦/- થી પણ વધારે ખર્ચ થાય છે. એક દિવસનાં ઘાસચારાની કાયમી તીથી યોજના રૂ. ૨૫,૧૧૧ થાય છે.

આ અંગેની ગઢડા પાંજરાપોળની યોજનાઓ (૧) રૂા.૩૫,૦૦,૧૦૧–વૃધ્ધ પશુઓ માટે મોટો શેડ ‘તેમા યોગ્ય તકતી અંક્તિ કરવામાં આવશે.”. (૨) રૂ।.૧૫,૦૦,૦૦૦– પશુ ઘર (ગઢડા ગ્રાઉન્ડમાં) (૪૮”x૩૦” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૩) રૂ. ૧૧,૫૧,૦૦૧-પ્રાર્થના કુટીર ઉપર (૪૮’×૨૪” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૪) રૂા. ૫,૫૫,૫૫૫ ચીડીયાઘર ઉપર (૪૮*૧૮” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૫) રૂા.૩,૫૫,૦૦૦– મેઈન ગેટની પાછળની બન્ને બાજુ (૪૮”×૧૮” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૬) રૂા.૨,૬૧,૦૦૦– ગૌ પ્રેમી, ગોલ્ડન દાતાની (૩૬”×૧૮” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૭) રૂા૧,૨૫,૦૦૧- અબોલ જીવોના ઉધ્ધારક બની (૩૬”×૦૬” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૮)રૂા.૫૫,૫૨૧–અબોલ જીવોના સંરક્ષક બની (૩૬”×૦૬” ગ્રેનાઈટમાં) નામ અંકિત થશે. (૯) રૂા.૨૫,૧૧૧-એક દિવસનાં ઘાસ ચારાની કાયમી તીથી યોજના/એક ગાડી ઘાસ ચારો (૧૦) રૂા.૧૧,૦૦૦ એક જીવને કતલખાને જતા અટકાવીને જીવે ત્યાં સુધી નિભાવવાની કાયમી તીથી. પ્રતિ વર્ષ ઘાસચારા નિભાવખર્ચ—યોજના પ્રતિ વર્ષ એક દિવસનાં રૂા. ૧,૫૧,૦૦૧ થાસચારાનાં ખર્ચના ૩૬૫ દાતાશ્રીઓની આ કપરા સંજોગમાં જરૂર હોવાથી, દાતાશ્રીઓને એક દિવસનો ખર્ચ આપવા ગઢડા પાંજરાપોળની નમ્ર વિનંતી છે. પ્રભુ જન્મ નરનારાયણ રૂપે વારંવાર લે છે, આપ અમારા માટે તેમાના એક પરમેશ્વર છો. અબોલજીવોનાં આશીર્વાદ માથે હાથ મુકીને નથી મળતા, પરંતુ અંતરની દુઆ મૌન થઈને વિસ્તરે છે. અનુદાન આપવા માટે અમદાવાદ ઓફીસઃ બળવંતભાઈ આર. શાહ (ગઢડાવાળા) (મો.૦૯૮૨૫૦ ૨૩૪૪૦), વિનુભાઈ સંઘરાજકા (૯૨૬૫૨ ૯૭૮૨૬), મુંબઇ ઓફીસ :  મહેન્દ્રભાઈ આર. ડેલીવાળા મો.(૦૯૮૨૦૭૮૪૫૦૧), હરેશભાઈ (ઘાટકોપર) (મો.૯૩૨૩૯ ૬૦૩૯૩), બોમ્બે બ્રાંદ્રા/સુરત સંપર્ક : છગનભાઈ ડુંગરાણી (મો.૯૬૦૧૨ ૯૧૧૦૨), અશ્વિનભાઈ (આત્માનંદ જેમ્સ) (મો.૯૩૨૨૩ ૭૦૦૭૭), સુરત સંપર્ક ધનજીભાઈ ડુંગરાણી (મો.૯૬૦૧૨૯૧૧૦૩), બાબુભાઈ ગાબાણી (મો.૯૪૨૬૮, ૦૦૯૯૬), રાજકોટ સંપર્ક : મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), ૨જનીભાઈ આર. દોશી મો. ૯૪૨૬૯૩૦૭૭૬, મનોજ ડેલીવાળા (મો. ૯૮૨૪૧ ૧૪૪૩૭) પર સંપર્ક કરવા ગઢડા મહાજન પાંજરાપોળની યાદીમાં જણાવાયું છે.

લી.

બળવંતભાઈ આર. શાહ

શ્રી ગઢડા મહાજન પાંજરાપોળ તથા ગૌશાળા ટ્રસ્ટ

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *