
- સમગ્ર દેશમાં અનેકો સેવાના કાર્યો કરી પુણ્યનું ભાથું બાંધતા જયંતીભાઈ પરસાણા પરિવાર


સૌરાષ્ટ્રનાં જાણીતા લેન્ડ ડેવલોપર્સ, સમાજ શ્રેષ્ઠી, સદકાર્યમાં સદા અગ્રેસર, ગુજરાત અને સૌરાષ્ટ્રની અનેકવિધ સેવાકીય, સામાજીક, સાંસ્કૃતિક, શૈક્ષણીક, ધાર્મિક, જ્ઞાતિ સંસ્થાઓ સાથે તન, મન, ધનથી સંકળાયેલા જયંતિભાઈ કેશવભાઈ પરસાણા (પટેલ) (નમન ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડ અને રીષી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રાઈવેટ લીમીટેડનાં સંચાલક) તેમજ શ્રીમતી ભારતીબેન જયંતિભાઈ પરસાણા, સુપુત્રો રીષી જયંતિભાઈ પરસાણા, નમન જયંતિભાઈ
પરસાણાની પરસાણા પરીવારમાં આવતાં દરેક શુભપ્રસંગોની સેવામય ઉજવણી કરવામાં આવે છે. જયંતિભાઈ પરસાણા પરીવાર તથા શ્રીમતી ભારતીબેન જયંતીભાઈ પરસાણાની 37 મી લગ્ન વર્ષગાંઠ પર ડાકોર મંદિરમાં રણછોડરાયનાં પ્રસાદ લેવાનું વેન્ડિંગ મશીન જયંતિભાઈ પરસાણા અને ભારતીબેન જયંતિભાઈ પરસાણાની 37 મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે તા. 25 મે, ગુરુવારના રોજ ગુજરાતનું સુપ્રસિદ્ધ ડાકોર રણછોડરાયજીનાં મંદિરમાં પ્રસાદ લેવાનું વેન્ડિંગ મશીન પરસાણા પરિવાર દ્વારા અર્પણ કરાશે.
વર્તમાન સમયમાં ભારતીયો પશ્ચીમી સંસ્કૃતિનું અનુકરણ કરીને લોકો લગ્નતિથી, જન્મ દિવસ કે અન્ય શુભ પ્રસંગોની રૂપિયા વેડફીને ઉજવણી કરતા હોય છે એવા સમયે પરસાણા પરિવાર દ્વારા આવા શુભ પ્રસંગોની ઉજવણી સેવામય રીતે દર્દી નારાયણ, દરિદ્ર નારાયણની સેવા કરી તેમજ ધાર્મિક ઢબે કરવામાં આવે છે.
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દેવી ભાગવત, ભાગવત, ગીતાજી, રામાયણ જેવા દરેક ગ્રંથોની અંદર અને આપણા ઋષીમુનીઓના કહેવા અનુસાર ૧૬ પ્રકારના દાનો જે કરવા યોગ્ય છે તે તમામ દાન મનુષ્યોએ પોતાના જીવનને અંદર કરવા જોઈએ જે દાનોમાં સોનું, ચાંદી, પીતળ, કાસા, જસત, સ્ટીલ, બીડ, વસ્ત્ર, કન્યાદાન, અન્નદાન, મેડીકલ, શિક્ષણક્ષેત્રે જેવા તમામ દાનો જયંતીભાઈ પરસાણા (મો.૯૮૨૪૮ ૬૬૩૧૧) દ્વારા છેલ્લા 43 વર્ષો દરમ્યાન યથાશકિત પ્રમાણે પરિપૂર્ણ કરેલ છે.