
જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમયાંતરે સમાજોપયોગી વિવિધ કર્યો થતા રહે છે.જે અંતર્ગત દિવાળી તહેવાર અનુસંધાને ઝૂંપડપટ્ટીમાં જઇ મીઠાઇ તથા ફરસાણનું વિતરણ કરેલ.
રણુજા ચોકડી નજીક અલગ અલગ ચાર ઝુંપડપટ્ટી વિસ્તારમાં દિપાબેન વઘાસિયા (કમૅદિપ ફાઉન્ડેશન) ના સહયોગ થી આયોજન કરવામાં આવ્યું હતું.
દાતાશ્રી સુનિલભાઈ શાહ, દિપકભાઈ કક્કડ,અશ્વિનભાઈ ભુવા, વિજયભાઈ જાની,કિરીટભાઇ રાવલ,નવાણીભાઈ(અમદાવાદ), મધુબેન પટેલ, વલ્લભભાઈ વગેરે એ સહયોગ આપ્યો હતો.
ચેરમેન,ઉમેશ મહેતા ની સાથે મેનેજીંગ ટ્રસ્ટી શ્રીમતી દેવીબેન મહેતા, વાઇસ મેનેજીંગ ટ્રસ્ટી રસીકભાઇ ટાંક, સુધાબેન ટાંક,સક્રીય કાર્યકર પ્રવિણભાઇ ચડોતરા વગેરે એ જહેમત ઉઠાવી હતી.


