• તા. 31/12/2022 અને 1/1/2023 શનિવાર અને રવિવારનાં રોજ બે દિવસીય વર્ગનું આયોજન 

નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગો ઉત્પાદન, ગૃહ ઉદ્યોગ પ્રશિક્ષણ વર્ગનું બે દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. 31/12/2022 અને 1/1/2023  શનિવાર રવિવારના રોજ  નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર અંજાર કચ્છ ગુજરાત ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય કાર્યક્રમમાં ગોબર ઉત્પાદનો માટે મશીન,મોલ્ડ, મટીરીયલની માહિતી આપવામાં આવશે. તા. 31/12/2022 શનિવારના રોજ સવારે 8-30 વાગ્યે આગમન અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. સવારે 9-30 થી 11-00 વાગ્યા સુધી સત્ર 1 માં ઉદ્ઘાટન અને પ્રસ્તાવના મહંત શ્રી ત્રિકમદાસ મહારાજ (સચ્ચિદાનંદ મંદિર અંજાર) અને મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા આપવામાં આવશે. સવારે 11-30 થી 1 વાગ્યા સુધી (1)ગો નાઈલ (2)ધુપ બતી (3)ગોબર કુંડા (4)ગલ્લા પેટ (5) ચકલી ઘર (6) લક્ષ્મી જી (7)ફુલ ડાંડી (8) મચ્છર તેલ (9) ગણેશ 3″ (10) ગણેશ 12″ નું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવશે. બપોરે 1-00 થી 2-30 વાગ્યા સુધી ભોજન અને વિશ્રામ , 2-30 થી 4 વાગ્યા સુધી 11) ખજુર કુલ્ફી (12) હવન સામગ્રી કંડા (13) નેચરલ જ્યુશી (14)રૂદયમ્ પે (15) વાઢિયા મલમ (16) પાચક ચૂર્ણ (17) નેત્ર, આંખના ટિપા (18) પંચગવ્ય નસ્ય (19)નિમ અર્ક નું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ, સાંજે 4-30 થી 6-00 “પંચગવ્ય થી મનુષ્ય ચિકિત્સા” પર શિક્ષણ વિજયભાઈ રાબરીયા (પ્રમુખ ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત) દ્વારા આપવામાં આવશે. 6-30 થી 8-00 ગોબર ઉત્પાદકો અંગે પ્રેક્ટિકલ શિક્ષણ આપવામાં આવશે. રાત્રે 8-00 થી 9-00 ભોજન, 9-00 થી 09-45 દીપ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. 

તા. 1/1/2023 રવિવારના રોજ સવારે 4-50 થી 6 વાગ્યા સુધી પ્રાતઃ વિધિ બાદ 6-15 થી 7-45 દરમ્યાન પ્રેક્ટિકલ પ્રશિક્ષણ, 7-45 થી 8-45 અલ્પાહાર, 9-00 થી 10-30 ગાયનું મહત્વ પ્રેક્ટીકલ અને થિયરી આપની ઓળાં ,ઊર્જા ,બીપી, ક્રોધ, ટેન્શન, થાકી જવું, વગેરે નું પ્રેક્ટીકલ કરી અને લાભ બતાવવામાં આવશે.(ગાય માતા સાથે હીલિંગ) 11 થી 12-30 (38)રુઝાન સ્પ્રે (39) ફેસપેક (40) ત્રિફળા ચૂર્ણ (41) (42)સેમ્પુ (43) દંતમંજન (44) મોબાઈલ ચિપ્સ (45)સર્વદર્દ હર તેલ(46)સાબુનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ , 2-00 થી 3-00 અનુભવ કથન , 12-30 થી 2-00, ભોજન અને વિશ્રામ , 2-00 થી 3-00 પ્રેક્ટીકલ શિક્ષણ , 3-30 થી 5-00 માર્કેટિંગ શિક્ષણ અને સમાપન થશે. પ્રેક્ટીકલ શિક્ષણમાં રામકૃષ્ણ ટ્રસ્ટ, દિપીકાબેન હિરાણી, નિકુંજભાઈ હિરાણી , મેઘજીભાઈ હિરાણી , વિજયભાઈ રાબરીયા જેવા મહાનુભાવો પોતાનું યોગદાન આપશે. આ પ્રશિક્ષણ વર્ગમાં પૂર્ણ સમય હાજર રહેવું ફરજિયાત છે. ચાલુ વર્ગમાં ફોન બંધ રાખવાનો રહેશે. આ પ્રશિક્ષણમાં જોડાવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન શુલ્ક 1000 જમા કરાવવાના રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવી લેવું. આ વર્ગ દરમ્યાન બહેનો માટે અલગ રહેવાની વ્યવસ્થા રાખેલ છે.  આ અંગેની વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાનીનાગલપર, અંજાર, કચ્છ, ગુજરાત (મો. 09428081175) પર સંપર્ક મેઘજીભાઈ હિરાણીની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *