શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત, યુગ દિવાકર પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતર’નું છેલ્લા ઘણા વર્ષોથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અહંમ ગ્રૂપના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે ૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. “વહેલા તે પહેલા” ના ધોરણે વિનામુલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). સૌ કોઈ પોતપોતાનાં ગામ/શહેરોમાં આ પ્રકારનું વિતરણ,વ્યવસ્થા શરૂ કરાવે.મોટી કવોન્ટીટીમાં કોઈને આવી વસ્તુઓ જોઈતી હોય તો પડતર કિંમતે આ વસ્તુઓ સ્થાનિક તથા બહારગામ પણ ઉપલબ્ધ કરાવવામાં નિમિત્ત થવામાં સંસ્થાને આનંદ થશે.
કુંડા, માળા , કુંડી મેળવવા માટે મિતલ ખેતાણી, “સત્યમ” 3- ટાગોર નગર, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ સામે, કોટેચા ચોક , કાલાવડ રોડ, રાજકોટ અને “જનપથ”, ૨ – તપોવન સોસાયટી કોર્નર, સરાઝા બેકરી પાસે,હોલિડે પ્લાઝા બિલ્ડિંગની સામે, અક્ષર માર્ગ મેઇન રોડ, રાજકોટ ખાતેથી રૂબરૂ લઈ જઈ શકાશે.
સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (9824221999), પ્રતિક સંઘાણી(9998030393), ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઈ કાનાબાર, રમેશભાઇ ઠકકર,એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ અને અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા (9067712244), સેતુરભાઈ દેસાઈ(9898230975), ચેતનભાઈ મહેતા (9879094426), તેજસભાઈ બાવીશી(9429502446) , જીમ્મીભાઈ શાહ (9825448779), નિરવભાઈ અજમેરા(9824372190) તેમજ ટીમ જહેમત ઉઠાવી રહી છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *