• એનીમલ હેલ્પલાઇનની ૧૮ વર્ષની જીવદયા યાત્રા
  • ૧૦ (દસ) એમ્બ્યુલન્સ, બે બાઇક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૬,૫૦,૦૦૦ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર
  • નિઃશુલ્ક પશુ—પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા
  • ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા
  • કોરોનાકાળ દરમ્યાન ૩ મહિનામાં દોઢ કરોડ રૂપીયાના માતબર ખર્ચે જીવદયા પ્રવૃતિઓ કરાઈ
  • જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, વેરાવળ, જુનાગઢ, ચોટીલા, મહુવા, હ્રારકા, થાન, મોરબી, દિવ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની.
  • વાર્ષિક ચાર કરોડના માતબર ખર્ચે સેવારત નિઃશૂલ્ક એનીમલ હેલ્પલાઇન, નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ, શેલ્ટર (પાંજરાપોળ) તથા અન્નક્ષેત્ર સેવારત
  • વિશ્વનું સૌપ્રથમ એવું, પશુપક્ષીઓ માટેનું રોજીંદુ ‘હરતુ ફરતુ અન્નક્ષેત્ર’ પણ સેવારત
  • સંસ્થા દ્વારા રાષ્ટ્રીય—આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા, ગૌસેવા, અભયદાન, શાકાહાર, જીવરક્ષા પ્રવૃતિઓનો સતત પ્રચાર—પ્રસાર

રાજકોટમાં છેલ્લા ૧૮ વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામુલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવી છે. છેલ્લા ૧૮ વર્ષથી કરૂણા ફાઉન્ડેશન દ્વારા મુંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામુલ્યે સારવાર કરતું ‘મોબાઇલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. ભારત સરકાર દ્વારા જીવદયાનો સર્વોચ્ચ એવોર્ડ વિજેતા સંસ્થા છે. અત્યાર સુધીમાં ૬,૫૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ, વિનામૂલ્યે,નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા, ૧૦ (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બ્યુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ ૯૦૦૦ જેટલા બિનવારસી પશુ- પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુઘીની સઘન સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુપક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ સંસ્થાની જ નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલમાં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કૂતરીઓના ૫૦ જેટલા સીઝરીયન ઓપરેશન, ૬૧૦ થી વધારે ગૌ માતાના હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામાં ૨૦૦ જેટલા પણ રોગ નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો પશુ-પક્ષીઓના અંધત્વ નિવારણ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, સતત કરવામાં આવે છે. ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા– ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓના માટેના ‘દંત ચિકિત્સા કેમ્પ’, ‘ચર્મ ચિકિત્સા કેમ્પ’, ‘નેત્ર ચિકિત્સા કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા, પક્ષીઓ વિ. ને બચાવવામાં ટ્રસ્ટ આવી સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને મદદ રૂપ થાય છે. અનેકવાર માછીમારીની જાળ પકડીને લાખો માછલીઓને બચાવાઇ છે. જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, વેરાવળ, જુનાગઢ, ચોટીલા, મહુવા, હ્રારકા, થાન, મોરબી, દિવ, બોટાદ સહિતના ૩૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની. સંસ્થા દ્વારા રાષ્ટ્રીય—આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા, ગૌસેવા, અભયદાન, શાકાહાર, જીવરક્ષા પ્રવૃતિઓનો સતત પ્રચાર—પ્રસાર થાય છે.

સમગ્ર ભારતમાં, ૧૮ વર્ષમા અંદાજે ૧૨,૦૦,૦૦૦ ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાય છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની શ્રી ગૌશાળા(ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે તેમજ શેણી મેમોરિયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલ સામે, શેઠનગરની બાજુમાં, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડની પાછળ, નાગેશ્વર તીર્થ સામે, માધાપર ચોકડી પછી, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સંસ્થાની નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) માં અંદાજે ૧૨૦૦ જેટલા બીમાર, અશકત,ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ કવાટર્સ, બર્ડ હાઉસ, ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવીધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રની ગૌશાળા-પાંજરાપોળોને આ નિઃશુલ્ક સુવિધાનો લાભ મળે છે. દુષ્કાળ સમયે ૭ જેટલા કેમ્પોના માધ્યમથી ૬,૫૦૦ જેટલી ગૌમાતા,ગૌવંશના નીભાવમાં સંસ્થાના અગ્રણીઓ નીમીત બન્યા હતા. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનું સાધન નથી, સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતીના હિસાબે,ગૌ સેવા જીવદયા પ્રવૃતીઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. વાર્ષિક ચાર કરોડ રૂપીયાના માતબર ખર્ચે સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. સંસ્થાની વેબસાઇટ (www.animalhelpline.in) ની મુલાકાત લેવા વિનંતી કરાઇ છે. વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઈ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અત્યારે પણ લમ્પી રોગનો વ્યાપ સમગ્ર ગુજરાતમાં વધ્યો છે તે અંતર્ગત પણ અર્હમ યુવા સેવા ગ્રુપનાં સથવારે અને રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં આશિર્વાદથી ૧૨,૦૦૦ જેટલી ગૌમાતાઓને રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ તેમજ આસપાસના વિસ્તારોમાં રસીકરણ જે તે સ્થળ પર જઈ વિનામૂલ્યે અલગ અલગ ગૌશાળાઓ, પાંજરાપોળોમાં ટીમ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી કરવામાં આવ્યું છે અને હજુ પણ આ સત્કર્મ ચાલુ જ છે. પવિત્ર શ્રાવણ માસ નિમિતે અનુદાન આપી અબોલ જીવોના પ્રાણદાનમાં ઉપયોગી થવા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેપલાઇનના મિતલ ખેતાણી, ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઇ કાનાબાર, પ્રતિકભાઇ સંઘાણી, રમેશભાઇ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઇ ભરાડ સહિતનાઓએ અપીલ કરી છે. સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે ધંધાના સ્થળે ઘરે મુકી યથાશકિત અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંધાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩)નો સંપર્ક કરવો.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *