
- આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક, ઉમદા સેવક ડો. જગદીશ ત્રિવેદી હાસ્યરસ પીરસશે.
પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા કુળદેવી શ્રી ભવાનીમાં પૂજય પાવન શ્રી ડુંગરદાદા તથા શ્રી ગોરધનદાદાના પરમ આશીર્વાદથી ટ્રસ્ટને ૧૪ વર્ષ થતાં હોય તે નિમીતે રાણપુર (નવાગામ) મુકામે ૧૪ મું ધમાકેદાર સ્નેહમિલનનું આયોજન તથા સાથમાં જ આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, લેખક, કવિ, ચિંતક, ઉમદા સેવક ડો. જગદીશ ત્રિવેદી હાસ્યરસ પીરસશે. પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટ દ્વારા કુળદેવી શ્રી ભવાનીમાં પૂજય પાવન શ્રી ડુંગરદાદા તથા શ્રી ગોરધનદાદાના સાનીધ્યમાં વિવિધ પ્રસંગોનું આયોજન કરેલ છે જે અંતર્ગત કારતક સુદ–૪, તા.૨૯/૧૦/૨૦૨૨, શનીવારના રોજ સાંજે ૫–૦૦ કલાકે (સમયસર), હાસ્યરસ કાર્યક્રમ સાંજે ૫-૩૦ થી ૭-૦૦ કલાકે, મહાઆરતી સાંજે ૭-૦૦ કલાકે પ્રોગામના ઈન્ટરવલ દરમ્યાન, હાસ્યરસ કાર્યક્રમ સાંજે ૭-૩૦ થી ૮-૩૦ કલાક દરમ્યાન તથા સ્વરૂચી ભોજન (પ્રસાદ) રાત્રે ૯–૦૦ કલાક દરમ્યાન યોજાશે જેમાં પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવારના દરેક સભ્યને સમયસર આ કાર્યક્રમમાં પધારવા ટ્રસ્ટ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમની અંગેની વિશેષ વિગતો માટે શ્રી અમરભાઇ પાંઉ મોઃ ૯૭૧૨૯ ૮૨૮૦૦, પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
પાંઉ, પૌરાણા, ખેતાણી પરિવાર ટ્રસ્ટનાં
જય શ્રી કૃષ્ણ
જય ભવાની , જય ડુંગરબાપા , જય ગોરધનદાદા
