• મહારાષ્ટ્રની 11000થી વધુ ગૌશાળા-પાંજરાપોળોને એકસૂત્રમાં બાંધવા વિશેષ આયોજન
  • પૂજ્ય કાડસિદ્ધેહશ્વરસ્વામીજી, ગિરીશભાઈ શાહ સહિતનાં જીવદયાપ્રેમીઓ ઉપસ્થિત રહેશે

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યોનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જનાવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા ‘સમસ્ત મહાજન’નાં મેનેજીંગ ટ્રસ્ટી, ભારત સરકાર એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ અને સાથી ટીમ દ્વારા કોલ્હાપુરના સુપ્રસિદ્ધ કનેરી મઠમાં યોજાયેલી ચિંતન બેઠકમાં હાજરી આપશે.

સંમેલનમાં શાકાહાર પ્રચાર-પ્રસાર, સ્વદેશી વૃક્ષોનાં વાવેતર, ગૌશાળા-પાંજરાપોળોનું સ્વાવલંબન, દેશીદૂધનાં સેવનનાં ફાયદા, ગૌમાતાનું રક્ષણ અને પોષણ વગેરે બાબતો પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકની અધ્યક્ષતા પૂજ્ય કાડસિદ્ધેહશ્વરસ્વામીજી સંભાળશે અને પૂજ્ય સંજય મહારાજ પાચપોરે વિશેષ અતિથી તરીકે ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં 200થી વધુ જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. સમગ્ર મહારાષ્ટ્રની 1100થી વધુ ગૌશાળા-પાંજરાપોળોને એક સૂત્રમાં બાંધવા માટે આ એક વિશેષ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સર્વ જીવદયા પ્રેમીઓને આ બેઠકમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવે છે. બેઠક તારીખ 14 નવેમ્બર, 2021 રવિવારનાં રોજ સવારે 10 વાગ્યાથી શરુ કરવામાં આવશે. આ સંમેલનની વિશેષ માહિતી માટે મિત્તલ ખેતાણી(મો. 98242 21999) પર સંપર્ક કરવા ગિરીશભાઇ શાહની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *