• ઘવાયેલા અને કાયમી અપંગ પશુઓને કૃત્રિમ પગ ફીટ કરી આપવામાં આવ્યો
  • બગસરામાં કાયમી અપંગ એવી 3 ગૌમાતાઓ ને ફરીથી ચાલતી કરાઈ

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી  અર્હમ યુવા સેવા ગ્રુપ-રાજકોટ અને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સહયોગે અર્હમ અનુકંપા જીવદયાનો એક નવો પ્રકલ્પ ગત વર્ષે ઓક્ટોબરમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો . અર્હમ અનુકંપા અભિયાનમાં એક્સિડન્ટથી ઘવાયેલા અને કાયમી અપંગ થયેલા પશુઓને એમના માપના કૃત્રિમ પગ ફીટ કરીને એમને ફરી ચાલતા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના 37 જેટલાં પશુઓને કુત્રિમ પગ નાખીને પુનઃ ચાલતાં કરવામાં આવ્યાં છે. વર્તમાનમાં જ બગસરામાં કાયમી અપંગ એવી 3 ગૌમાતાઓ ને ફરીથી ચાલતી કરાઈ.  આ અભિયાનમાં ડૉ. હિરેનભાઈ બાબરીયા તથા સાથી ટીમ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈનના  મિત્તલ ખેતાણી અને પ્રતિકભાઈ સંઘાણીનો વિશેષ સહયોગ પ્રાપ્ત થાય છે . ઘાયલ પશુઓ તેમજ ઓપરેશન બાદ પણ કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં પશુઓની સારસંભાળ કરવામાં આવે છે. ગૌશાળા સંચાલકો, પાંજરાપોળ સંચાલકો. અન્ય જીવદયા પ્રેમીઓ સૌ ને વિનંતી કરવામાં આવે છે કે આ પ્રકારનું કોઈ પણ જીવ તમને જોવા મળે તો સત્વરે અમારો સંપર્ક કરો જેથી કરીને અબોલ જીવોને શાતા મળે અને તેમને જીવવા માટે નવો માર્ગ મળે. જીવદયા પ્રેમી વિમળાબેન દિલીપભાઈ મહેતા , હિતેનભાઈ મહેતા અને જીગરભાઈ શેઠ (મુંબઈ) દ્વારા આ અભિયાનને આર્થિક સહયોગ પ્રાપ્ત થાય છે. અર્હમ અનુકંપા અભિયાન અંગેની વિશેષ માહિતી મેળવવા માટે મો. મિત્તલ ખેતાણી (મો. 9824221999) , શેતુર દેસાઈ 9898230975, પ્રતિક સંઘાણી (મો. 9998030393), વિજય મહેતા (મો. 8905805710) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *