તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ? કે કોઈને ઉગાડતા જોયો છે ? પીપળો કે વડનાં બીજ મળે છે ?
જવાબ છે ના !

વડ કે પીપળાનાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે કારણકે પ્રકૃતિ કુદરતે આ બે લોક ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે .
આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિ .
કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે.
પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે. જે રાઉન્ડ ધ ક્લોક o2 ઓક્સિજન છોડે છે અને વડનાં ઔષધીય ગુણો અપરંપાર છે.
જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે.
એ કેમનું ?
તો કાગડા ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓએ કાગડાનાં બચ્ચાઓને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાદ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય
એટલે મગજ દોડાવ્યા વગર શ્રાદ્ધ કરજો પ્રકૃતિ નાં રક્ષણ માટે !!
હીન્દુ સંસ્કૃતીનાં તમામ ધાર્મિક પરંપરાઓમાં યકતિગત, પકુતિ સંરક્ષણ, જેવા વિવિધ કાર્યો જોડાયેલ છે. સંકુચિત કે અવૈજ્ઞાનિક નથી. મને ગર્વ છે. મારી લાખો વર્ષ ની સંસકુતી ને સંસ્કારો પર સનાતન ધર્મ કી જય.