
સમગ્ર ભારતમાં નિઃશુલ્ક પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઈન
એનીમલ હેલ્પલાઇનની ૧૭ વર્ષની જીવદયા યાત્રા
૧૦ (દસ) એમ્બ્યુલન્સ, બે બાઈક એમ્બયુલન્સ તેમજ નિઃશૂલ્ક વેટરનરી હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં ૫,૦૦,૦૦૦ જેટલા જીવોની વિનામૂલ્યે સ્થળ ઉપર જ સારવાર
નિઃશુલ્ક પશુ પક્ષી સારવાર ક્ષેત્રે ભારતની સૌથી મોટી સંસ્થા
કોરોનાકાળ દરમ્યાન ૩ મહિનામાં દોઢ કરોડ રૂપીયાના માતબર ખર્ચે જીવદયા પ્રવૃતિઓ કરાઈ
જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, વેરાવળ, જુનાગઢ, ચોટીલા, મહુવા, દ્વારકા, થાન, મોરબી, દિવ, બોટાદ સહિતના ૨૦ સેન્ટરોમાં એનીમલ હેલ્પલાઈન ચાલુ કરાવવામાં રાજકોટની ટીમ નીમીત બની.
વાર્ષિક ત્રણ કરોડના માતબર ખર્ચે સેવારત નિઃશુલ્ક એનીમલ હેલ્પલાઇન, નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ શેલ્ટર (પાંજરાપોળ) તથા અન્નક્ષેત્ર સેવારત
વિશ્વનું સૌપ્રથમ એવું, પશુ—પક્ષીઓ માટેનું રોજીંદુ ‘હરતુ – ફરતુ અન્નક્ષેત્ર’ પણ સેવારત
સંસ્થા દ્વારા રાષ્ટ્રીય—આંતરરાષ્ટ્રીય કક્ષાએ જીવદયા, ગૌસેવા, અભયદાન, શાકાહાર, જીવરક્ષા પ્રવૃત્તિઓનો સતત પ્રચાર–પ્રસાર





રાજકોટમાં છેલ્લા ૧૭ વર્ષથી સેવારત એનીમલ હેલ્પલાઇનને પવિત્ર શ્રાદ્ધ પર્વ નિમિતે અનુદાન આપવા અપીલ કરવામાં આવી છે. એનીમલ હેલ્પલાઈન રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી ગાયો, રોડ અકસ્માતમાં ઘવાયેલા નાનામોટા પશુ-પંખીઓને વિનામૂલ્યે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવે છેલ્લા 17 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા મૂંગા, બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરતું ‘મોબાઈલ પશુ ચિકિત્સાલય’,’એનિમલ હેલ્પલાઇન અને વેટરનરી હોસ્પિટલ’ સ્વરૂપે સેવારત કરાયું છે. અત્યાર સુધીમાં ૫,૦૦,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની સ્થળ ઉપર જ વિનામૂલ્યે, નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા, ૧૦ (દસ) એમ્બ્યુલન્સ તેમજ બે બાઇક એમ્બયુલન્સ થકી ઓપરેશન સહિતની સારવાર થઈ છે, થતી રહે છે. દર માસે લગભગ ૬,૦૦૦ જેટલા બિનવારસી પશુ-પક્ષીઓની નિષ્ણાંત પશુચિકીત્સકોની ટીમ દ્વારા, સ્થળ પર જ, વિના મૂલ્યે તેઓ સાજા થાય ત્યાં સુધીની સઘન સારવાર કરવામાં આવે છે. બીમાર અને અશકત, અકસ્માતથી ઘવાયેલ પશુ-પક્ષીઓને ગૌશાળા/પાંજરાપોળ/સંસ્થાની જ નિઃશુલ્ક વેટરનરી હોસ્પિટલ માં દાખલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કુતરીઓનાં ૫૫૦ જેટલા સીઝરીયન ઓપરેશન, ૬૭૦ થી વધારે ગૌ માતાનાં હોર્ન કેન્સરના (શીંગડાનું કેન્સર) ઓપરેશન કરવામાં આવ્યા છે. આસ-પાસના ગ્રામ્ય વિસ્તારો તેમજ ગૌશાળામા ૨૫૦ જેટલા પશુ રોગ નિદાન-સારવાર કેમ્પ કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભારતનો સર્વ પ્રથમ એવો “પશુ—પક્ષીઓના અંધત્વ નિવારણ માટેનો કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ, સતત કરવામાં આવે છે. ગૌશાળાઓમાં વૃક્ષારોપણ અભિયાન, અવેડા તેમજ ચબુતરા બનાવવા– ટ્રેવીસ તેમજ અન્ય સાધન સામગ્રી ફીટ કરાવવી સહીતની પ્રવૃત્તિઓ સતત થતી રહે છે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા શ્વાન તથા બિલાડીઓના માટેનાં ‘‘દંત ચિકિત્સા કેમ્પ”, “ચર્મ ચિકિત્સા કેમ્પ, “નેત્ર ચિકિત્સા કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું હતુ. કતલખાને જતા ગૌવંશ, ગૌમાતા, મરઘા,પક્ષીઓ વિ. ને બચાવવામાં ટ્રસ્ટ આવી પ્રવૃતિઓ કરતી સંસ્થાઓને મદદ રૂપ થાય છે. અનેકવાર માછીમારીની જાળ પકડીને લાખો માછલીઓને બચાવાઇ છે.
સમગ્ર ભારતમાં, ૧૭ વર્ષમા અંદાજે ૧૨,૦૦,૦૦૦ ચકલીના માળા, પક્ષીના પાણી પીવાના કુંડાનુ નિઃશુલ્ક વિતરણ કરાયુ છે. ગૌમાતાની પાણી પીવાની કુંડી સંસ્થા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવે છે. સંસ્થા દ્વારા નિઃશૂટક વેટરનરી હોસ્પિટલ પણ ચલાવવામાં આવે છે. જુની શ્રી ગૌશાળા(ગોંડલ રોડ, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, વાવડી, રાજકોટ) ખાતે તેમજ શ્રેણી મેમોરિયલ ટ્રસ્ટ, ન્યુ શ્રેયસ સ્કૂલ સામે, શેઠનગરની બાજુમાં, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડની પાછળ, નાગેશ્વર તીર્થ સામે, માધાપર ચોકડી પછી, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, જામનગર રોડ, રાજકોટ ખાતે સંસ્થાની નિઃશુલક વેટરનરી હોસ્પિટલ અને શેલ્ટર (પાંજરાપોળ) માં અંદાજે ૧૨૦૦ જેટલા બીમાર, અશકત,ઘવાયેલા પશુ-પક્ષીઓને આશ્રય, સારવાર સતત, દરરોજ મળે છે. આ હોસ્પિટલમાં ઓપીડી રૂમ, ઓપરેશન થીયેટર, સ્ટાફ ક્વાટર્સ બડ હાઉસ, ગૌશાળા, ચબુતરો, અવેડો સહિતની અનેક સુવીધાઓ ઉપલબ્ધ છે. આ હોસ્પિટલમાં ઓપરેશન સહિતની તમામ સુવીધાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. સમગ્ર સૌરાષ્ટ્રની ગૌશાળા-પાંજરાપોળોને આ નિઃશુલ્ક સુવિધાનો લાભ મળે છે. કોરાનાનાં ૩ મહિનાનાં લોકડાઉનનાં સમયગાળા દરમ્યાન દોઢ કરોડ રૂપીયાનાં માતબર ખર્ચે અને ૯ કંટ્રોલ રૂમો દ્વારા રાજકોટ અને આસપાસનાં ૪૦ કિ.મી. નાં વિસ્તારમાં અબોલ જીવોને ખોરાક, પાણી, સારવાર પહોંચાડવામાં સંસ્થા નિમીત બની હતી. દુષ્કાળ સમયે ૭ કેટલ કેમ્પોનાં માધ્યમથી ૬,૦૦૦ જેટલી ગૌમાતા,ગૌવંશનાં નીભાવમાં સંસ્થાનાં અગ્રણીઓ નીમીત બન્યા હતા. સંસ્થા દ્વારા વિશ્વનું સૌપ્રથમ એવું પશી-પક્ષીઓ માટેનું રોજીંદુ “હરતુ ફરતુ અન્નક્ષેત્ર” ચલાવવામાં આવે છે. જેમાં શહેરમાં વિવિધ સ્થળોએ, વિવિધ ચબૂતરાઓમાં પક્ષીઓને ૠતુ અનુસાર ૩૦૦ કિ.ગ્રા. ચણ દરરોજ આપવામાં આવે છે. ૧૫ જેટલા વિસ્તારોમાં રોજ ૧૬૦ લીટર દુધ અને ૭૦ કિલો લોટની રોટલીનું ભોજન, ૭૦૦ થી વધુ શ્વાનોને પીરસવામાં આવે છે. નાના જીવને પણ ખોરાક મળી રહે તે માટે દરરોજ કિડીઓને ૨૦ કિ.ગ્રા. કીડીયારૂ પુરવામાં આવે છે. કાગડા-કાબર ને અનુકુળ ફરસાણ પીરસાય છે. લોટની ૫૦ કિ.ગ્રા. ગોળી બનાવી દરરોજ માછલીને આપવામાં આવે છે. વેરાવળ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, મહુવા,ચોટીલા, મોરબી, બોટાદ, દિવ, ભાવનગર, દ્વારકા, થાન સહીતનાં શહેરોમાં એનીમલ હેપલાઈનનો શુભારંભ કરાવવામાં સંસ્થા નિમીત બની છે. સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં, વિશ્વમાં હેલ્પલાઇન ચાલુ થાય તેવો સંસ્થાનું ધ્યેય છે. આ પ્રકારની અનુદાન અંગે વિવિધ તીથી યોજના પણ કાર્યરત છે. સંસ્થા ને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નીયમીત આવકનું સાધન નથી, સંસ્થા પ્રવર્તમાન મોંઘવારીની સ્થિતીના હિસાબે,ગૌ સેવા જીવદયા પ્રવૃતીઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, એનીમલ હેલ્પલાઈનનાં મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો.૯૯૯૮૦૩૦૩૯૩) પર ફોન કરવાથી આપને ત્યાંથી અનુદાન સ્વીકારવાની વ્યવસ્થા કરાશે. સંસ્થાનાં પ્રમુખ તરીકે મિતલ ખેતાણી, ટ્રસ્ટીઓ ધીરૂભાઇ કાનાબાર, ઘનશ્યામભાઇ ઠકકર, સેક્રેટરી પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ સેવા આપે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંસ્થાને અનેક એવોર્ડસ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. સમગ્ર ભારતમાં પશુ સારવાર ક્ષેત્રે ટોચનું સ્થાન ધરાવતી અને જીવદયા ક્ષેત્રે ભારત સરકાર દ્વારા સર્વશ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ મેળવનાર સંસ્થા કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન અત્યાર સુધીમાં સમગ્રપણે રર કરોડ અને વાર્ષીક ત્રણ કરોડનાં માતબર ખર્ચે સેવારત આ સંસ્થાને સહકાર આપવા અપીલ કરાઇ છે. સંસ્થાની વેબસાઇટ (www.annalhelpline.in) ની તથા facebook.com/animalhelplinekarunafoundation મુલાકાત લેવા વિનંતી કરાઇ છે. વેબસાઈટ પર ઓનલાઈન ડોનેશન સ્વીકારવાની પણ વ્યવસ્થા કરાઈ છે. સંસ્થા દ્વારા નાની સાઇઝની આકર્ષક દાન પેટી તૈયાર કરાઇ છે જે આપના ધંધાના સ્થળે/ઘરે મુકી થયા શક્તિ અનુદાન આ પેટીમાં નંખાવી શકાય છે. અનુદાન પેટી મેળવવા તેમજ દર મહિને ફીકસ, સ્વૈચ્છીક અનુદાન આપવાની યોજનામાં ભાગ લેવા મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંધાણી (મો. ૯૯૯૮૦ ૩૦૩૯૩)નો સંપર્ક કરવો. સંસ્થાને મળતું દાન આવક વેરા મુકિત પ્રમાણપત્ર ૮૦ જી કલમ હેઠળ ધરાવે છે. સંસ્થા વિદેશથી મળતું દાન સ્વીકારવાનું લાયસન્સ FCRA હેઠળ ધરાવે છે. સંસ્થાની બેંક ડીટેઇલ્સ બેંક ઓફ બરોડા (રાજકોટ મેઇન, રાજકોટ) A/c No. 03600100026705 તથા RTGS/NEFT IFSC CODE BARB0RAJKOT. ચેક/ડ્રાફ્ટ ‘શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ’ ના નામનો બનાવવો.