શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા ટાટા હોસ્પિટલમાં કેન્સર પિડીત બાળકોને રોજ તાજા ફળોની વહેંચણી કરવામાં આવી રહી છે. રાજકોટની સદભાવના ટ્રસ્ટની મદદથી શંખેશ્વરથી વિરમગામ સુધીના રોડની બંને બાજુએ ૨૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વિરાર વજરેશ્વરી રોડ ઉપર આવેલ મેઢા ફાટા ગામમાં એક ૩૦ વ્યકિતઓ માટે વૃધ્ધાશ્રમનું નવનિર્માણ કરવામાં આવ્યું. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા દાતાશ્રીઓનાં સહકારથી નવ નિર્મિત આશ્રય સ્થાન પાંજરાપોળ–શંખેશ્વર ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ પાંજરાપોળ શંખેશ્વરના આશ્રય સ્થાનના દાતાશ્રી    માતૃશ્રી સ્વ. વિમળાબેન ભુપતરાય દોશી પરીવાર (દાઠા નિવાસી) હસ્તે. જીવદયા પ્રેમી શ્રીમતી માલાબેન વિજયભાઈ દોશી (મુંબઈ)વાળા હતા. આ કાર્યક્રમનું સંચાલન સહયોગ ડી.કે. ગઢવી સાહેબ (સરપંચશ્રી—શંખેશ્વર ગામ) નો રહ્યો હતો.

આ સમારોહમાં મુખ્ય અતિથિ વિશેષ વિજયભાઈ ડોબરીયા (પ્રમુખશ્રી–સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ), મિતલ ખેતાણી (મેમ્બર નેશનલ એડવાઈઝરી કમિટી, પશુપાલન અને ડેરી મંત્રાલય, ભારત સરકાર અને પ્રમુખશ્રી—શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, રાજકોટ), હરેશભાઈ વોરા તથા મહેન્દ્રભાઈ સંગોઈ (એન્કરવાલા અહિંસાધામ પાંજરાપોળ-કચ્છ), દેવેન્દ્રભાઈ જૈન(સમસ્ત મહાજન), રમેશભાઈ ઠક્કર(શ્રીજી ગૌશાળા), ધીરેન્દ્રભાઈ કાનાબાર અને પ્રતિકભાઈ સંઘાણી(એનીમલ હેલ્પલાઈન) તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) નાં પ્રમુખ જયેશભાઈ જરીવાલાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની જમીન પર પાંજરાપોળનું નિર્માણ થવાથી ઘણા અબોલ પશુઓને મદદ અને સારવાર મળી શકશે. શંખેશ્વરનાં સરપંચ શ્રી ડી. કે ગઢવી સાહેબનો અને દાતાશ્રી સ્વ વિમળાબેન ભૂપતરાય દોશી પરિવારનાં હસ્તે શ્રીમતી માલાબેન વિજયભાઈ દોશીનો સહયોગ રહ્યો હતો. સદભાવના વૃદ્ધાશ્રમના વિજયભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે વૃક્ષારોપણ ફક્ત જાતે કરવું એટલું જ નહિ એ કામ કરવાની પ્રેરણા અન્યોને પણ આપવી એ મહત્વનું છે. વૃક્ષ ફક્ત ઓક્સિજન નથી આપતું એ જીવે ત્યાં સુધી કોરોડો જીવોને તેમાંથી ભોજન મળી રહે છે. નાના નાના લાખો જીવો એ ઝાડમાંથી ભોજન ગ્રહણ કરતા હોય છે. એક વ્યક્તિ એક ઝાડ વાવીને કરોડો જીવોને ભોજન આપીને શાતા આપી શકે છે. સમગ્ર કાર્યક્રમને, દાતાશ્રીઓ તેમજ સર્વે જીવદયા પ્રેમીઓને પરમ પૂજ્ય સ્વામી નયપજ્ઞ મ.સાજીએ આશિર્વચન પાઠવ્યા હતા.       શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)દ્વારા પ્રગટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથ પ્રભુની પાવન ભૂમિમાં શ્રી શંખેશ્વર ગ્રામ પંચાયત સંચાલિત તથા સહયોગથી શ્રી શંખેશ્વર ગ્રામ્ય વિસ્તારના નિરાશ્રિત તથા અકસ્માતમાં ઘાયલ થયેલ અબોલ પશુઓના આશ્રય તથા નિભાવ માટે નવ નિર્મિત આશ્રય સ્થાન પાંજરાપોળ–શંખેશ્વરનું નિર્માણ થયું છે. શ્રી આદિજિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી જયેશભાઈ શાહ(જરીવાલા) (મો.૯૯૨૦૪ ૯૪૪૩૩), ભરતભાઈ મહેતા (મો.૯૩૨૨૨ ૨૨૯૨૮), શ્રી અશોકભાઈ લોઢા (મો.૯૮૨૦૨ ૭૪૬૨૦), શ્રી હિતેશભાઈ સંઘવી (મો.૯૮૭૦૦ ૪૩૨૭૨) તેમજ શ્રી આદિ જીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *