શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૦- ૩૦ ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ ૧૫૦ થી ૨૦૦ ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં ૫ થી ૧૦ પાંજરાપોળોને લાભ મળે છે. બનાસકાંઠામાં આવેલા પુર સમયે અને રાજસ્થાનમાં દુષ્કાળનાં સમયગાળામાં પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ૧૦ જગ્યાએ શેડ બનાવી આપવાનું કામ ચાલુ છે જેમાં ૩૦૦૦ થી વધુ જીવોનો સમાવેશ કરવામાં આવશે. શંખેશ્વર તેમજ નાલાસોપારામાં બહેનો આત્મનિર્ભર બને તે માટે ૧૦૦ બહેનોને સિલાઈ મશીનની ત્રણ મહિનાની ટ્રેનીંગ આપી તેમને સીલાઈ મશીન ભેટ કરવામાં આવ્યા જેથી તેઓ પોતે પોતાના પરીવારનું ભરણપોષણ કરી શકે. ૨૦૦ જરૂરતમંદ અપંગોને વ્હીલચેર તથા ટ્રાયસિકલ સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે. નાલાસોપારામાં એકલા રહેતા વૃધ્ધ બીમાર, અસહાય ૧૩૫ વડીલોને છેલ્લા ૩૦ મહિનાથી ઘરે ઘરે ટિફીન સેવા સાથે વૈદ્યકીય સહાય સંસ્થાનાં દાતાઓનાં સહકારથી કાર્યરત છે. નાલાસોપારા અને વિરારમાં રસ્તે રખડતાં શ્વાન અને બિલાડીઓને રોજ દૂધ અને રોટલી આપવામાં આવે છે. કાંદીવલી અને નાલાસોપારામાં વિવિધ જગ્યાએ પક્ષીઓ માટે પાણીના કુંડા અને રોજની ૨૦૦ કિલો જુવાર, મકાઈની ૩૬૫ દિવસ સેવા ચાલુ છે. ગુજરાત અને મુંબઈમાં રહેતા આર્થિક રીતે નબળા જૈન સાધર્મિક પરિવારોની નિયમિત સારસંભાળ લઈ રહયાં છીએ. એમને દાતાઓનાં સહકારથી સાધર્મિક ભકિત કરી રહયાં છે. સંસ્થા આર્થિક રીતે અસક્ષમ રોગીઓ માટે દવા તથા વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરી રહી છે.
શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)ને શ્રી મહાવીર પશુ સેવા કેન્દ્ર (નેલ્લોર) તરફથી પ્રાણીઓ માટે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ માટે અપીલ પત્ર મળ્યો છે. હાઈવે પર અવારનવાર થતા અકસ્માતને કારણે અનેક રખડતા પશુઓ ગંભીર રીતે ઘાયલ થઈ રહ્યા છે. હાઇડ્રોલિક એમ્બ્યુલન્સની અનુપલબ્ધતાને લીધે, સ્વયંસેવકો માટે ઘાયલ પશુઓને ઉપાડવા અને પશુ દવાખાનામાં મોકલવાનું ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને તેથી ઘણા પ્રાણીઓ પશુ દવાખાનામાં પહોંચતા પહેલા મૃત્યુ પામે છે. શ્રી આદી જિન યુવક ચેરિટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી નેહલભાઈથી પ્રેરિત થઈને ‘સેન્ચુરી પ્લે લિમિટેડ (CSR ફંડ)’ કોલકાતા દ્વારા તેર લાખ દસ હજારની કિંમતની એમ્બ્યુલન્સ શ્રી મહાવીર પશુ સેવા કેન્દ્ર (નેલ્લોર)ને અર્પણ કરવામાં આપવામાં આવી હતી.
શ્રી આદિ જિન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)ની પ્રેરણાથી શ્રી મહાવીર પશુ સેવા કેન્દ્ર (નેલ્લોર)ને ‘સેન્ચુરી પ્લે લિમિટેડ (CSR ફંડ)’ કોલકાતા દ્વારા પ્રાણીઓ માટે હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ
