પરમ પૂજ્ય ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મહારાજ સાહેબ, માતુશ્રી મધુબેન ચંદ્રકાંતભાઈ શેઠ, નંદપ્રભા પરિવાર ઓટોલેક ઈન્ટરનેશનલ પ્રાઇવેટ લિ. કલકત્તા, પશ્ચિમ બંગાળના દ્વારા ‘સર્વોદય ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ’, પઢેગાંવ, વર્ધા ખાતે પશુ આશ્રયસ્થાન(પશુ શેડ)નું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનો ઉદઘાટન સમારંભ 19 માર્ચે, રવિવારનાં રોજ સવારે 10 વાગ્યે રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વર્ધા લોકસભાનાં સાંસદ રામદાસજી તડસ અધ્યક્ષ સ્થાને રહેશે. કાર્યક્રમમાં મુંબઈ, મહારાષ્ટ્રનાં ગૌશાળા મહાસંઘનાં સંયોજક વિજયભાઈ વોરા અને ડૉ. સુનિલજી સૂર્યવંશી મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. આ પશુ શેડનાં નિર્માણ માટે આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈનાં અધ્યક્ષ જયેશભાઈ જરીવાલા પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. આ કાર્યક્રમ અંગે વિશેષ માહિતી માટે ‘સર્વોદય ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ’, પઢેગાંવ, વર્ધાનાં અધ્યક્ષ વસંતભાઈ પંચભાઈ (મો. 9822222155, 8888111175) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *