શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇન દ્વારા અર્હમ યુવા સેવા ગ્રુપના સથવારે, રાષ્ટ્રસંત, યુગ દિવાકર પૂ. નમ્રમૂનિ મહારાજ સાહેબના આશીર્વાદથી પક્ષીઓનાં માળા—પીવાનાં પાણીની કુંડી , રામપાતર’નું છેલ્લા સાત વર્ષથી, બારે મહિના નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે. ધોમધખતાં તાપમાં તેમજ બારે મહિના દરમિયાન અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. ગૌમાતા, પશુ-પક્ષીઓની તરસ છીપાવવા માટે શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ—એનીમલ હેલ્પલાઇન તથા અહંમ ગ્રૂપના સંયુકત ઉપક્રમે સીમેન્ટની મોટી કુંડી (સાઇઝ આશરે ૨ ફૂટ બાય ૧.૫ ફુટ, વજન આશરે ૩૦ કિલો) જીવદયા પ્રેમીઓને બારે મહિના વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ઘર આંગણે, વિસ્તારમાં કુંડી રાખી દરરોજ સફાઇ કરી, બારે મહિના ચોખ્ખુ પાણી ભરી આ કાર્યમાં પુણ્યના ભાગીદાર બની શકાય છે. “વહેલા તે પહેલા” ના ધોરણે વિનામલ્યે, નિયમાનુસાર, વ્યકિત દિઠ એક કુંડી મળશે (પોતાના વાહનમાં લઇ જવાની રહેશે). કુંડી મેળવવા માટે મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મોઃ૯૯૯૮૦૩૦૩૯૩) પર સંપર્ક કરવો. રાજકોટના વિવિધ વિસ્તારોના લોકોને આ વિસ્તારનો લાભ મળે તે માટે વિવિધ વિસ્તારોમાં પણ ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ થઈ રહયું છે.
તા.5 એપ્રિલ મંગળવારના રોજ આશાપુરા મંદિર,પેલેસ રોડ ખાતે , બુધવારનાં રોજ કોટેચા ચોક ખાતે , ગુરુવારનાં રોજ પૂ. રણછોડદાસ બાપુ આશ્રમ,કુવાડવા રોડ ખાતે , શુક્રવારના રોજ મણિયાર દેરાસર ખાતે, શનિવારનાં રોજ બાલાજી મંદિર , ભૂપેન્દ્ર રોડ ખાતે , રવિવારનાં રોજ રેસકોર્સ બહુમાળી ભવન પાસે , સોમવારના રોજ ધારેશ્વર મંદિર ભક્તિનગર સર્કલ ખાતે , મંગળવારનાં રોજ હનુમાન મઢી ચોક ખાતે ,બુધવારનાં રોજ જુબેલી ગાર્ડન ચબૂતરા ખાતે , ગુરુવારના રોજ મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન સર્કલ) ખાતે કુંડા – માળાનું નિઃશુલ્ક વિતરણ દરરોજ સવારે 7:30 થી 8:30 કલાક સુધી કરવામાં આવશે
સમગ્ર આયોજન અંગે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી (9824221999), પ્રતિક સંઘાણી(9998030393), ઘનશ્યામભાઇ ઠકકર, ધિરેન્દ્રભાઈ કાનાબાર, રમેશભાઇ ઠકકર,એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ અને અર્હમ યુવા સેવા ગ્રુપના તુષારભાઈ મહેતા (9067712244), સેતુરભાઈ દેસાઈ(9898230975), ચેતનભાઈ મહેતા (9879094426), તેજસભાઈ બાવીશી(9429502446) , જીમ્મીભાઈ શાહ (9825448779), નિરવભાઈ અજમેરા(9824372190) તેમજ ટીમ જહેમત ઉઠાવી રહી છે.
