- હાલમાં આ ગૌશાળામાં 70 ગાયોનો નિભાવ થઇ રહ્યો છે.
મહંત શ્રી અખંડઆનંદ ભારતી બાપુ (ઉપલેટા મોજ આશ્રમ), ગુરૂ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર વિધ્વંભરભારતી બાપુ (ભારતી આશ્રમ, જુનાગઢ/સરખેજ) વર્તમાન આશ્રમ શ્રી અખંડઆનંદ ભારતી બાપુ આણંદપર કામધેનુ ગૌશાળા ગુરૂકૃપા આશ્રમ, આણંદપર–નિકાવા હાઈવે ખાતે લુલી-લંગડી–અસહાય ગૌમાતાઓની સેવા થઈ રહી છે ગૌશાળામાં 70 ગૌમાતાનો નિભાવ થઈ રહયો છે. ગૌબર અને ગૌમૂત્રમાંથી પંચગવ્ય ઉત્પાદનો બનાવવામાં આવી રહયાં છે. સાધ્વી રાધાનંદ ભારતીજી ગુરૂશ્રી અખંડઆનંદ ભારતી બાપૂ (મોજ આશ્રમ ઉપલેટા, રાષ્ટ્રીય ગોરક્ષા વાહિની, મહારાષ્ટ્ર અધ્યક્ષ) દ્વારા પંચગવ્ય ઉત્પાદન કરવાનું કાર્ય કરી રહયા છે. અયોધ્યા અને ઉતરપ્રદેશમાં ઘણાબધા પંચગવ્યો ઉત્પાદનના કાર્યો સાધ્વી રાધાનંદ ભારતીજીએ કર્યા છે તથા ગૌકથાઓના માધ્યમથી લોકોને જાગૃત કરવા, ગૌસેવા માટે પ્રેરીત કરવા, કિશાન ભાઈઓને ગૌમાતાથી જોવા, ગૌરક્ષા આંદોલન કરવા, ગૌરક્ષામાં સહભાગી થવા, પંચગવ્યના ઉત્પાદન થકી તેનું વેંચાણ કરવા તથા કથાઓના માધ્યમથી ગૌશાળાઓને આર્થિક સહાય તથા સ્વાવલંબી કરવા તથા દરેક સ્કૂલ, કોલેજોમાં જઈને શહેર તથા ગામડાઓમાં જઈને ગૌમાતાનું મહત્વ સમજાવીને ગૌ પ્રોડકટસ વા૫૨વા સમજાવવા, દેશી ગૌમાતાઓને બચાવવા જનજાગૃતિ કરવાનો સાધ્વી રાધાનંદ ભારતીજીનો મુખ્ય ધ્યેય છે. શ્રી ગોપાલા ચેરીટેબલ ટ્રસ્ટશ્રી કામધેનું ગૌશાળા, રાજકોટ-કાલાવડ રોડ આણંદપરમાં આવેલ કામધેનુ ગૌશાળામાં અંધ—અપંગ–અશકત-ગૌમાતાની સેવા થાય છે. પ્રાચીન કાળથી જ ગાયને માતાનો દરજજો પ્રાપ્ત થાય છે. ગાયને ખુબ જ પવિત્ર અને પુજનીય માનવામાં આવે છે. કહેવાય છે કે, ગાયની પુજા કરનારને બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ જાય છે તેથી જ આજના આ કળયુગમાં પણ ગાયની પુજા, સેવા અને ગાય માટે આપણાથી બનતુ કઈક કરી છૂટવાની ભાવનાને પ્રાધાન્ય આપવામાં આવે છે. કહેવાય છે કે, ગાય એ સકારાત્મક ઉર્જાનો વધારો કરે છે અને તેનુ દુધ, ગૌમૂત્ર, ગોબર વગેરે કેન્સર જેવા રોગો સામે પણ રક્ષણ આપે છે જે ખરેખર ચમત્કાર કહી શકયા. મહાભારતના રાજા યુધિષ્ઠિર ગાયના દુધને અમૃત તુલ્ય માન્ય છે. યશે જયારે પ્રશ્ન પુછયો કે પૃથ્વીનું અમૃત કયું છે, ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે ગાયનુ દૂધ એક માત્ર પૃથ્વી પરનુ અમૃત છે. આમ પુરાતન કાળથી ગાયને સર્વોપરી માનવામાં આવી છે. પ્રાચીન કાળમાં ઘરે ઘરે ગાય પાળવામાં આવતી, પરંતુ આજના યુગમાં એ શકય નથી જેને કારણે ગૌપ્રેમી વ્યકિતઓ ગૌપુજનથી વંચતી રહે છે. આપણે કદાચ કોઈ ગાયને ખરીદીને ગૌશાળામાં ન આપી શકીએ પણ ગાયનો નિભાવ ખર્ચ આપીને આ સમાજ સેવાના કાર્યમાં આપણો અમુલ્ય ફાળો આપી કૃતાર્થ થઈને તો જ અમુલ્ય માનવ દેહ સાર્થક થયો કહેવાય. કામધેનુ ગૌશાળાઓની સેવાકીય પ્રવૃતિઓમાં સર્વરોગ નિદાન કેમ્પ, બટુક ભોજન, પથીકાશ્રમ, પક્ષીઓને ચણ, વૃક્ષારોપણ, વટેમાર્ગનીસેવા વિગેરે અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવ છે. કામધેનુ ગૌશાળાનો એક દિવસનો નિભાવ ખર્ચ રૂા.2100 (કોઈપણ તિથી નિમીતે), એક ગૌમાતાનો એક મહિનાનો ખર્ચ રૂા. 2100, એક ગૌમાતાનો એક વર્ષનો ખર્ચ રૂા. 21000, લીલા ઘાસની રીક્ષા અંદાજીત 5૦ મણ રૂા. 3000, લીલાઘાસની મેટાડોર અંદાજીત ૧૦૦ મણ રૂા. 51000, આજીવન તિથી નિમીતે નિરણ માટે રૂા. 21000 આપી શકાય છે. આ સંસ્થામાં આપવામાં આવતુ દાન કલમ 80–જી હેઠળ કરમુકત છે. સંસ્થાની બેંક વિગત, એકસીસ બેંક, મેટોડા જી.આઈ.ડી.સી. શાખા, રાજકોટના ખાતા નં. 915020016370040 તથા IFSC Code: UTTB0000809, Micr Code : 360211003 પર આપી શકાય છે. કામધેનુ યુવા ગ્રુપ, શ્રી કામધેનુ ગૌશાળા, શ્રી ગુરૂકૃપા આશ્રમ (હનુમાનધાર), રાજકોટ-કાલાવડ રોડ, મું. આણંદપર, તા. કાલાવડ, જી. જામનગર, મો. 9825023194, 9712211110.