સંન્યાસ (દીક્ષા) પંથે પ્રયાણ કરતા જીવદયાપ્રેમી શ્રી યોગેશભાઈ (રાજુભાઈ) શાહનો રવિવારે અભિવાદન સમારોહ તથા ગૌશાળા— પાંજરાપોળ સંમેલન

સૌને પધારવા સમસ્ત મહાજન દ્વારા જાહેર આમંત્રણ

વૈશ્વીક સ્તરે જળ, જન, જંગલ, જમીન, જાનવરની સુખાકારી માટે કાર્યરત સેવા સંસ્થા સમસ્ત મહાજન’ ના ટ્રસ્ટી, જીવદયાના અનેક કાર્યોને સાકાર કરનારા, લાખો જીવોની રક્ષા અને સંભાળ કરી ચૂકેલા શ્રી યોગેશભાઈ (રાજુભાઈ) અમૃતલાલ શાહ સઘળાં’ય સંસારનો ત્યાગ કરી સંયમ પંથે સંન્યસ્ત થવા જઈ રહયા છે. રાજકોટનાં જૈન અગ્રણી, સમસ્ત મહાજન રાજકોટ શાખાના સંચાલક, જીવદયાપ્રેમી તથા ધર્માનુરાગી રાજુભાઈ અમૃતલાલ શાહ ભગવાન મહાવીર સ્વામીના પંથે જવાનો નિર્ણય કરતાં સંઘમાં ધર્મોલ્લાસ છવાયો છે. મુમુક્ષુ રાજુભાઈ શાહ વર્ષોથી જીવદયાની પ્રવૃતિમાં સંકળાયેલા છે. મોરબીમાં પાંજરાપોળની જવાબદારી તેમણે સંભાળી હતી અને તેના વિકાસમાં તેમની ભૂમિકા પ્રશંસનીય રહી હતી. તેઓ ઘણા વર્ષોથી જિનાજ્ઞાનુસાર પોતાનું જીવન પસાર કરી રહ્યાં છે. દૈનિક આરાધના તેમનો જીવનક્રમ બન્યો હતો. અબોલ જીવો માટે તેમણે કરેલા કાર્યને અભિનંદવા, તેમનો સંન્યાસ માર્ગ નિષ્કંટક બને તેવી શુભકામના પાઠવવા પૂ. આચાર્ય ભગવંત યશોવિજય સુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન ઉપસ્થિતિમાં તથા પ.પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્ય ભગવંત તિર્થંભદ્ર સુરીશ્વરજી મહારાજના આશીર્વાદ સાથે અભિવાદન સમારોહનું અને ગૌશાળા-પાંજરાપોળોના સંમેલનનું તા.૨૪/૧૦/૨૦૨૧, રવીવારે જૈન ભવન, ૨૧–ન્યુ જાગનાથ પ્લોટ, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦-૦૦ થી બપોરે ૧૨–૩૦ કલાક દરમ્યાન આયોજન કરાયેલ છે. આયોજકોએ સમારોહનાં સમગ્ર આયોજન અંગે વસંતબેન વાડીલાલ વસા પરીવાર (ધોરાજીવાળા)નો ઋણ સ્વીકાર કર્યો છે.

આ પ્રસંગે રામભાઈ મોકરીયા (સાંસદશ્રી, રાજયસભા), ડો. શ્રી પ્રદિપભાઈ ડવ (મેયરશ્રી, રાજકોટ), કમલેશભાઈ મીરાણી (પ્રમુખશ્રી, શહેર ભાજપ), ગીરીશભાઈ શાહ (મેનેજીંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન), જયોતીન્દ્રમામા મહેતા (સહકારી અગ્રણી) ડો. શ્રીમતી દર્શીતાબેન શાહ (ડેપ્યુટી મેયરશ્રી, રાજકોટ), ચંદ્રકાંતભાઈ શેઠ (પ્રમુખશ્રી, રોયલ પાર્ક જૈન સંઘ) જીતુભાઈ દેસાઈ (પ્રમુખશ્રી, દાદાવાડી સંઘ), હરેશભાઈ વોરા (પ્રમુખશ્રી, સ્થાનકવાસી જૈન મોટા સંઘ), દિનેશભાઈ પારેખ (પ્રમુખ શ્રી જાગનાથ જૈન સંઘ), અમીનેષભાઈ રૂપાણી (જૈન શ્રેષ્ઠી), એડવોકેટ દિલેશભાઈ શાહ (જૈન શ્રેષ્ઠી), વિમલભાઈ શેઠ (વિહાર સેવા ગ્રુપ કેપ્ટન, રાજકોટ) સહિતનાં અનેકો શ્રેષ્ઠીઓ તેમજ ગુજરાતની ગૌશાળા પાંજરાપોળોના ટ્રસ્ટીઓ, સંચાલકો ખાસ ઉપસ્થિત રહેશે.

અભિવાદન સમારોહની સાથોસાથ યોજાયેલા ગૌશાળા પાંજરાપોળોનાં સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ—આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌસંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા-પાંજરાપોળની આંતર માળખાકીય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા,વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, છોડ વૃક્ષ ન બને ત્યાં સુધી જાળવણી, જળ સંરક્ષણ, ખેડૂત સમૃધ્ધિ, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત ચર્ચા કરાશે. ગૌશાળા સંચાલન તથા વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહનાં માર્ગદર્શનમાં ગુજરાત ખાતે રાજુભાઈ શાહ અને સમસ્ત મહાજનની ટીમ દ્વારા ગુજરાતની ૨૪૨ પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે છેલ્લા ૧૦ વર્ષથી અતિ દુષ્કર કાર્ય સમસ્ત મહાજન કરી રહયું છે.

સમગ્ર આયોજન અંગે મિતલ ખેતાણી (મો.૯૮૨૪૨૨૧૯૯૯), પ્રતિક સંઘાણી (મો. ૯૯૯૮૦૩૦૩૯૩), કુમારપાળ શાહ (મો.૯૪૨૬૨૧૦૨૨૬), કેતન સંઘવી(મો.૭૭૭૮૯૫૨૪૪૮), ધીરેન્દ્ર કાનાબાર (મો.૯૮૨૫૦૭૭૩૦૬), રમેશભાઈ ઠકકર (મો.૯૯૦૯૯૭૧૧૧૬), અમીત દેસાઈ (મો.૯૮૨૪૨૧૮૧૮૫) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *