વૃધ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૂરીયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સદભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ 360  જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી 160 વડીલો તો પથારીવશ (ડાઇપરવાળા) છે. સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનુ જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 15 લાખ વૃક્ષોનું વાવેતર કરીને ગુજરાત ને ગ્રીન રાજ્ય બનાવ્યું છે. ઉપરાંત સદભાવના બળદ આશ્રમ (રાજકોટ) દ્વારા નિઃશુલ્ક,આજીવન આશરો આપવામાં આવશે. હાલમાં પણ ૪૦૦ જેટલા બળદો ને આશરો અપાય ચૂકર્યો છે.

વાળંદ સમાજનાં ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ એવા કેયૂરભાઈ ભટ્ટી વડીલોની સેવા કરવાના હેતુ થી પોતે તેમજ પોતાના 15 ‘હેર સ્ટાઈલ’   આસિસ્ટન્ટને લઈને સદભાવના વૃદ્ધાશ્રમમ આવ્યા હતા. વડીલોને વાળ કાપવા અને દાઢી કરવી તેમજ અન્ય સેવાઓ પણ કેયૂરભાઈ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. કેયૂરભાઈ  અને તેમના સાથીઓ દ્વારા કરવામાં આવેલું આ સેવાનું કરી ખૂબ જ સરાહનીય અને અન્યો માટે પ્રેરણાદાયી છે.

સદભાવના વૃદ્ધાશ્રમ : “પીપળીયા ભવન”, સ્વામિનારાયણ ગુરુકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી માર્ટ વાળી શેરી, રાજકોટ. મો. 8530138001 , 8000288888 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *