• ‘મેજિક બુક ઓફ રેકોર્ડ્સ’એ ગિરીશભાઇનાં ઉત્કૃષ્ટ કાર્યો બદલ તેમને વધાવ્યા

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત છે. સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યોનાં પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોનાં આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે. કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંનાં અનલોકનાં સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધારણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનનાં નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે. વૈશ્વીક સંસ્થા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ અમેરીકા, જાપાન, હોંગકોંગ, બેંગકોક, દુબઈ, એન્ટવર્પ, પોલેન્ડ સહીતનાં સાથે દેશો સાથે ડી.જી. એક્ષપોર્ટસ, ઋષભ જેમ્સ, ગોયમ ઓર્ગેનીક પ્રા.લી. સહિતનાં વ્યાવસાયિક બિઝનેસ હાઉસનાં મોભી છે. ગિરીશભાઈ શાહ દિવસનાં 18 કલાક કામ કરે છે અને મહતમ સમય જીવદયા, ગૌસેવા, માનવતાની પ્રવૃતિઓ પેટે આપી રહયાં છે. સમસ્ત મહાજનનાં માધ્યમથી વર્ષે અંદાજે 50  કરોડ રૂપિયાની માતબર રાશી સમાજમાંથી અને સ્વભંડોળમાંથી એકત્ર કરી ગિરીશભાઈ દેશભરની ગૌશાળા, પાંજરાપોળો અને જીવદયા સંસ્થાઓમાં આપવામાં, અપાવવામાં નિમિત્ત બને છે.અત્યારસુધીમાં તેઓ જીવદયા રત્ન, ઈન્દીરા પ્રીયદર્શીની વૃક્ષમીત્ર એવોર્ડ, આચાર્ય ચાણકય એવોર્ડ સહિતનાં અનેક વૈશ્વીક એવોર્ડ મેળવી ચુક્યા છે. ગિરીશભાઈ અત્યંત સરળ, નિરાભિમાની, મિલનસાર વ્યકિતત્વ ધરાવે છે. આવા સુકૃત કાર્યો કરવા બદલ ગિરીશભાઇને ‘મેજિક બુક ઓફ રેકોર્ડ્સ’ તરફથી “બેસ્ટ એચીવર્સ એવોર્ડ-2021” આપવામાં આવ્યો છે. આ એવોર્ડ તેમને  ‘મેજિક બુક ઓફ રેકોર્ડ્સ’નાં ચેરમેન ડૉ. સી. પી. યાદવે એનાયત કર્યો હતો.    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *