જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસચારાની ઉપલબધ્તા , જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા માત્ર ગુજરાત-રાજસ્થાન જ નહી પરંતુ તમામ સંસ્થાઓના તમામ ટ્રસ્ટીઓએ ત્રણ દિવસ ભેગા રહે, એકબીજાનો પરીચય થાય, એક બીજાની હૂંફ મળે અને એકબીજાનો સહકાર મળે તે માટે સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ (મોઃ ૯૮૨૦૦ ૨૦૯૭૬) અને સાથી ટીમના માર્ગદર્શનમાં સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના ત્રિદિવસીય, નિવાસી, પ્રવાસી, સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ-આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા—પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલનમાં સાધુ-સંતો તેમજ દેશના જાહેર જીવનના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેશે. પ્રવાસ દરમ્યાન રાજસ્થાન-ગુજરાતની જોવા લાયક, અભ્યાસ લાયક ગૌશાળાઓ—પાંજરાપોળોની મુલાકાતો લેવાશે, પ્રત્યક્ષ માર્ગદર્શન અપાશે.
તા.૨૪, ફેબ્રુઆરી ને ગુરૂવારના રોજ શરૂ થનાર ત્રિ દિવસીય પ્રવાસ યાત્રા ભીલડી થી ભાભર, દુધવા, સરખેજ (બંસી ગીર ગૌશાળા) વિશ્વ વિખ્યાત શ્રી બંસી ગીર ગૌશાળાની મુલાકાત અને સંચાલક શ્રી ગોપાલભાઈ સુતરીયાનું વિશેષ માર્ગદર્શન સૌ મેળવશે. શ્રી બંસી ગીર ગૌશાળા ખાતે જીવદયા પ્રેમીઓના સંમેલનનું પણ આયોજન છે. પરસ્પર વાર્તાલાપ અને વિષયવાર ચર્ચા કરાશે. ત્યાંથી કલીકુંડ તિર્થથી ધોળકા ગોકુલગામ (ધોલેરા) તરફ પ્રસ્થાન કરાશે. તથા ધોલેરાથી મણીલક્ષ્મી તિર્થ, માર્ગજ થી ધર્મજના ગૌચરની મુલાકાત કરાશે. સુરજબા પાર્ક, ધર્મજ ગામના ૧૪૦ એકરના ગૌચરની મુલાકાત સામુહીક રીતે સા લેશે અને ગામના આગેવાનોએ આ ગૌચરનું નવનિર્માણ કેવી રીતે કર્યું તેનું પ્રેકટીકલ માર્ગદર્શન સૌને અપાશે તેમજ ધર્મજ ખાતે સંમેલનની પૂર્ણાહતી થશે.
વિવિધ ગૌશાળા—પાંજરાપોળના ટ્રસ્ટીઓ, જૈન સંઘોના ટ્રસ્ટીઓ, એસ.પી.સી.એ.ના પદાઘીકારીઓ, રસ ધરાવતા જીવદયા પ્રેમીઓએ પ્રતિ વ્યકિત રૂા. ૨૦૦૦/- ભરી નામ નોંધાવી લેવા અપીલ કરાઈ છે, આ રકમ ત્રણ દિવસના આયોજન (રહેવા—જમવા) પેટે ખર્ચ થશે. રૂા. ૨૦૦૦/– નો ચેક વ્યકિતદિઠ ‘સમસ્ત મહાજન’ ના નામનો લખવાનો રહેશે. આ ત્રિદિવસીય યાત્રા પ્રવાસમાં આવવા-જવાની વ્યવસ્થા આવનારે જાતે કરવાની રહેશે.
જીવદયા પ્રેમીઓના આ ત્રિદિવસીય, નિવાસી મેગા સંમેલનની વિશેષ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે ગિરીશભાઈ શાહ (મો. ૯૮૨૦૦ ૨૦૯૭૬), દેવેન્દ્ર જૈન (મો.૯૮૨૫૧ ૨૯૧૧૧), મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), રવીન્દ્ર જૈન (મો. ૯૬૬૪૩ ૦૫૮૭૦), ગૌતમજી બાબેલ (મો.૯૮૨૯૬ ૨૩૪૬૫), રણજીતભાઈ ભીલવાડા (મો.૯૨૦૫૭ ૨૬૫૦૭), વિશાલજી ભાદસોડા (મો.૮૮૯૦૭ ૦૩૭૯૫), સંજીતભાઈ ઠાકુર (મો.૭૦૬૧૪ ૨૧૦૯૯) નો સંપર્ક કરવા સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર શ્રી ગિરીશભાઈ શાહ (મોઃ ૯૮૨૦૦ ૨૦૯૭૬)ની યાદીમાં જણાવાયું છે.
