
એનીમલ હેલ્પલાઈન દ્વારા તા.25/11/2021, ગુરૂવારનાં દિવસે કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી છે. તા.૨૫, નવેમ્બરના રોજ દર વર્ષે ‘સાધુ વાસવાણી મીટ લેસ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની પવિત્રતા અને સમસ્ત ભારતદેશના પરીવારોની આસ્થાને ધ્યાનમાં લઈને સમાજની લાગણી ના દુભાય તે માટે ગુજરાતના જાહેર કતલખાના તેમજ જાહેર લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીના વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત ધર્મપ્રેમી જનતા વતી ભારત સરકારના એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરાઈ છે.
