પ્રવર્તમાન સમય માં રકતની જરૂરીયાત ઉભી થઇ છે.રાજકોટ સિવિલ હોસ્પિટલનાં જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડિત બાળકો માટે નિ:શુલ્ક લોહી મળી રહે તે માટે સૌ પ્રયત્નશીલ બને તેવી વિનંતી છે. રકતદાન કરી અમૂલ્ય માનવ જિંદગીઓને તેમજ થેલેસેમીયા પીડિત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે અપીલ કરવામાં આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રનાં દર્દીઓ, થેલેસેમીયા પીડિત બાળકો નિ:શુલ્ક સારવાર માટે આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તમામ બ્લડ ગ્રુપ ની તાતી જરૂરિયાત છે.અત્યારની પરિસ્થિતિમાં માં રકતદાન કેમ્પોની સંખ્યા નહિવત થઈ ગઈ છે. જે રકતદાન કેમ્પો થાય છે ત્યાં પણ રક્તદાતાઓ ખૂબ ઓછી સંખ્યામાં આવે છે. હાલ રકતદાન કેમ્પો સાવ ન્યુનતમ થાય છે. આ તકલીફનાં આંશીક નિવારણ માટે અને થેલેસેમીયા પીડિત બાળકોના જીવન બચાવવા રાજકોટ સિવિલ હોસ્પિટલ માં રકતદાન કરી જીવન બચાવવાની અમૂલ્ય તક ની સ્વીકારીએ. રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દરરોજ સવારે ૦૯:૦૦ વાગ્યા થી રાત્રે ૦૮:૦૦ વાગ્યા સુધી બ્લડ બઁક માં રકતદાન ચાલુ જ હોય છે. તો સૌ કોઈને વિનંતી છે કે રકતદાન કરવા વિનંતી. વધુ માહિતી માટે સંપર્ક: મો. નં ૯૮૯૮૬ ૧૩૨૬૭

“રકતદાન જીવનદાન “

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *