
બાલાજી મિત્ર મંડળ દ્વારા સ્વ. જશંવતીબેન ભુપતભાઈ ખખ્ખરની પ્રથમ વાર્ષિક પુણ્યતિથી નિમીતે જીવદયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધોમધખતાં તાપમાં અબોલ પશુ-પક્ષીઓ પાણી શોધતાં હોય છે, તરસના લઇને તરફડતા હોય છે. જીવદયા પ્રેમીઓને “વહેલા તે પહેલા’ ના ધોરણે વિનામુલ્યે ચકલીના માળા, પક્ષીઓને પાણી પીવાના કુંડાનું નિઃશુલ્ક વિતરણ સ્વામીનારાયણ ચોક, પી.ડી. માલવીયા કોલેજની પાછળ, રાજકોટ ખાતે તા.૧૯/૦૩/૨૦૨૩, રવીવારના રોજ સવારે ૦૯-૦૦ થી ૧૧-૦૦ વાગ્યા સુધી બાલાજી મિત્ર મંડળ દ્વારા કરાશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેષભાઈ ખખ્ખર (બાલાજી), મિત હિતેષભાઈ ખખ્ખર, ધર્મેશભાઈ સોઢા, શ્યામભાઈ સોઢા, ચિરાગભાઈ ગઢીયા, મીતભાઈ શીંગાળા, નિર્મલભાઈ ઝાલાવડીયા, ધાર્મિકભાઈ ઝાલાવડીયા, ભાવિકભાઈ મારૂ, સાવનભાઈ હરીયાણી, સમિપભાઈ રાજપોપટ, જયદીપભાઈ કાચા, પાર્થભાઈ લાલચેતા, સિધ્ધાર્થભાઈ ચૌહાણ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે. વિશેષ માહિતી માટે મિત હિતેષભાઈ ખખ્ખર (મો.૮૪૮૮૦ ૧૧૧૧૦) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.