• ગૌ રક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી – ભગવાન મહાવીર  

ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.

આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. ગૌમાતાની સેવાનો પથ સંકલ્પ લઈએ.

ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?

  • ભારતની દેશી કુળની ગાયનાં દૂધ, દહીં, ઘી જ ઉપયોગ કરીએ.
  • પંચગવ્ય નીર્મિત દવાઓનો ઉપયોગ કરીએ.
  • ગૌ આધારિત જૈવિક ખેતી અપનાવીએ.
  • ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ.
  • એક પરિવાર થકી એક ગાયનું પાલન પોષણ કરીએ.
  • ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ.
  • ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ.
  • ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ.
  • માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલવિધિ અપનાવીએ.
  • જન્મદિવસ, લગ્ન સંસ્કાર જેવા તેમજ અન્ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ.
  • દિકરીને એક ગાયનું દાન આપીએ.
  • ગોપાલકોને આદર અને સન્માન આપીએ.
  • ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ.
  • દરરોજ ગૌમાતાનાં દર્શન કરીએ.
  • વર્ષમાં અનેક વખત ગૌશાળા-પાંજરાપોળોની મુલાકાત લઈએ.
  • ગૌ ઉત્સવો જોરોશોરોથી ઉજવવાની શરૂઆત કરીએ.
  • ગૌ સેવા અર્થે પ્રકાશિત થતી પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ તેમજ મીડિયામાં ગૌસેવાનો પ્રચાર કરીએ.  
  • ગૌ રક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતનાં ગૌસેવાનાં તમામ કાર્યોમાં સહયોગ આપીએ.

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *