- ગૌ રક્ષા વિના માનવ રક્ષા સંભવ નથી – ભગવાન મહાવીર
ગૌમાતાની સેવા–રક્ષાનો સંકલ્પ કરીએ. ગાય આપણા આરાધ્યની આરાધ્યા છે. ગૌમાતામાં સમગ્ર દેવી દેવતાઓ નિવાસ કરે છે. ગૌમાતાની સેવાથી પૂર્વજોની પણ સદગતી પ્રાપ્ત થાય છે.
આજના આ યુગમાં ભગવાનને તો અનેક પ્રકારનાં ભોગો ધરવામાં આવે છે. પરંતુ તેમની પ્રાણ પ્યારી ગૌમાતા ઘણી જગ્યાએ ભૂખી-તરસી જોવા મળે છે. ગૌમાતાની સેવાનો પથ સંકલ્પ લઈએ.
ગૌમાતા માટે આપણે શું શું કરી શકીએ ?
- ભારતની દેશી કુળની ગાયનાં દૂધ, દહીં, ઘી જ ઉપયોગ કરીએ.
- પંચગવ્ય નીર્મિત દવાઓનો ઉપયોગ કરીએ.
- ગૌ આધારિત જૈવિક ખેતી અપનાવીએ.
- ગૌ આધારીત ગ્રામોદ્યોગની સ્થાપના કરીએ.
- એક પરિવાર થકી એક ગાયનું પાલન પોષણ કરીએ.
- ગૌચરની જાળવણી કરીએ અને દબાણ હટાવીએ.
- ગૌશાળા શરૂ કરવામાં નિમિત બનીએ.
- ગૌ સારવાર કેન્દ્રો હોસ્પીટલને મદદરૂપ થઈએ.
- માંગલિક કાર્યો અને શુભ અવસરો પર ગૌમાતા માટે મંગલવિધિ અપનાવીએ.
- જન્મદિવસ, લગ્ન સંસ્કાર જેવા તેમજ અન્ય પ્રસંગો ઉપર ગૌમાતાનું સ્મરણ કરી દાન કરીએ.
- દિકરીને એક ગાયનું દાન આપીએ.
- ગોપાલકોને આદર અને સન્માન આપીએ.
- ઘરમાં સર્વ દેવમયી ગૌમાતાનું ચિત્ર લગાવીએ.
- દરરોજ ગૌમાતાનાં દર્શન કરીએ.
- વર્ષમાં અનેક વખત ગૌશાળા-પાંજરાપોળોની મુલાકાત લઈએ.
- ગૌ ઉત્સવો જોરોશોરોથી ઉજવવાની શરૂઆત કરીએ.
- ગૌ સેવા અર્થે પ્રકાશિત થતી પત્રિકાઓ અને સાહિત્ય જરૂર મંગાવીએ તેમજ મીડિયામાં ગૌસેવાનો પ્રચાર કરીએ.
- ગૌ રક્ષા, ગૌપાલન અને ગૌ સંવર્ધન સહિતનાં ગૌસેવાનાં તમામ કાર્યોમાં સહયોગ આપીએ.
– મિત્તલ ખેતાણી (મો. 98242 21999)