4 નવેમ્બરે “મહાવીર સ્વામી નિર્વાણ દિવસ” નિમીતે દેશનાં તમામ રાજ્યોનાં મુખ્યમંત્રીને એનીમલ હેલ્પલાઈનની રજૂઆત

આગામી 4 નવેમ્બર મહાવીર સ્વામી નિર્વાણ દિવસ નિમીતે સમગ્ર દેશમાં કતલખાના, ઈંડા, માસની લારીઓ, દુકાનો બંધ રખાવવા તમામ રાજ્યનાં મુખ્યમંત્રીને કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન દ્વારા રજુઆત કરવામાં આવી છે. તમિલનાડુ રાજ્ય દ્વારા આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે જીવદયા પ્રત્યે એક સરાહનીય પગલું છે. આ દિવસની પવિત્રતા ધ્યાનમાં લઈને કતલખાના તેમજ લારી તેમજ દુકાનોમાં વહેંચતા માંસ, ઈંડા અને મચ્છીનાં વેપાર સદંતર બંધ રાખવા સમસ્ત જનતા વતી ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડના મિતલ ખેતાણી, એનીમલ હેલ્પલાઈનનાં પ્રતીક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ દ્વારા વિનંતી કરાઈ છે.

Related Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *