શુક્રવારે જીવદયા પ્રેમીઓને સંમેલનમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ

સૌરાષ્ટ્રનાં સેવા જગતમાં અનેરૂ નામ ધરાવતાં, યુવા—તરવરીયા, પ્રખર જીવદયા પ્રેમી, સેવાક્ષેત્રનો પ્રતિષ્ઠીત ”ગારડી એવોર્ડ” વિજેતા, પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ સન્માનીત, એનીમલ હેલ્પલાઇનનાં સેક્રેટરી તથા જૈન સમાજના યુવા અગ્રણી પ્રતિક સંઘાણીનો આગામી તા. ૧૫ ઓકટોબર, ગરૂવારનાં દિવસે ૪૦ મો જન્મ દિવસ છે. પ્રતિક સંઘાણી રાજકોટની શ્રી કરૂણા ફાઉન્ડેશન સંચાલીત એનીમલ હેલ્પલાઇન તથા અન્નક્ષેત્ર અને નિઃશુલ્ક વેટરનરી હોસ્પીટલ–શેલ્ટર, જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમીતીના ટ્રસ્ટી છે તેમજ સમસ્ત મહાજન, પીપલ ફોર એનીમલ્સ, બ્યુટી વિધાઆઉટ ફ્રઆલ્ટી, વિવેકાંનદ યુથ કલબ, થેલેસેમિયા જનજાગૃતિ સમીતી, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ, મિત્ર ફાઉન્ડેશન, એનીમલ વેલફેર બોર્ડ, ગુજરાત રાજય ગૌશાળા પાંજરાપોળ સંઘ, વિવિધ ગૌશાળા અને પાંજરાપોળો સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા છે. તેમજ ગુજરાત જીવદયા પ્રેમી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે જીવદયા રત્ન એવોર્ડ’, ભારત ભામાશા પૂ. દિપચંદ ગારડીના હસ્તે ‘ગાર્ડી એવોર્ડ’, જૈન સમાજ દ્વારા જૈન રત્ન એવોર્ડ’ પ્રાપ્ત કરેલા છે. પ્રતિકભાઈ એ M.J.M.C, M.Phil., સુઘી ઉચ્ચ અભ્યાસ કરેલ છે. સાત વર્ષ પૂર્વે, દુષ્કાળ જેવી પરિસ્થિતીને લઇને ૩૫૦૦ જેટલા અબોલ જીવો, ગૌમાતા માટે કરાયેલાં અનેક કેટલ કેમ્પોનાં સંચાલનમાં નિમીત બનેલા પ્રતિક સંઘાણી વ્યવસાયે કોર્પોરેટ ઓફીસ સ્ટેશનરી સપ્લાયર્સ છે.
પ્રતિક સંઘાણીના જન્મદિવસની ગરિમામયી ઉજવણી એનિમલ હેલ્પલાઈનની હોસ્પિટલ ખાતે અબોલ જીવો વચ્ચે થશે. પરમ પૂજ્ય શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી અને રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઇ મોકરીયા, રાજકોટના મેયરશ્રી ડો. પ્રદીપભાઈ ડવ તથા સિનિયર  કોર્પોરેટરશ્રી દેવાંગભાઈ માંકડ આ પ્રસંગે આશીર્વાદ આપવા ખાસ હાજરી આપશે.  
જન્મદિનનાં મંગલ પ્રસંગે ખાસ કરીને બાળકો—તરૂણો, યુવાનોમાં શાકાહારનો પ્રચાર-પ્રસાર થાય, માંસાહારનો ત્યાગ થાય તેવાં ઉમદા હેતુથી ” વેજીટેરીયન સોસાયટી” ને ધમધમતી કરવાના પ્રણ સાથે સેવારત અને અભયદાન પ્રવૃતિમાં સવિશેષ અભિરૂચી ધરાવતાં તેમજ કતલખાને જતા જીવ બચાવવા અંગે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ કામગીરી કરી રહેલા પ્રતિક સંઘાણી ને ભગવાન મહાવીર, માતૃશ્રી છાયાબેન દિલીપભાઈ સંઘાણી, પિતા શ્રી દિલીપભાઈ હરસુખભાઈ સંઘાણી, લાખો અબોલ જીવોના આશીર્વાદ પ્રાપ્ત થઈ રહયાં છે, પત્ની શ્રીમતી કિંજલબેન સંઘાણી ના સતત સહકાર સાથે અને વ્હાલી દિકરી આંગી અને પુત્ર જીનાંશના પ્રેમ સાથે જીવનનાં આગામી વર્ષોમાં જીવદયા–ગૌસેવા, માનવતા, દર્દી નારાયણ તેમજ દરીદ્ર નારાયણના લાભાર્થે મહત્વનું પ્રદાન કરવાનાં સ્વપ્નને સાર્થક કરવાનું ધ્યેય ધરાવતાં પ્રતિક સંઘાણીને આશીર્વાદ આપવા મો. 99980 30393 પર સંર્પક કરવો.
સૌ જીવદયાપ્રેમી કાર્યકરો – મિત્રોને પ્રતિકભાઈ સંઘાણીના જન્મદિન નિમિતે યોજાયેલા જીવદયા સંમેલનમાં શેણીમેમોરિયલ ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન શેલ્ટર, શેઠનગરની બાજુમાં,એફસીઆઇ ગોડાઉન રોડ, શ્રેયસ સ્કૂલ પાસે વિજયા દશમી  તા: ૧૫/૧૦/૨૦૨૧, શુક્રવારનાં રોજ સાંજે સાત વાગ્યાથી ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ છે. કાર્યક્રમને અંતે ઉપસ્થિત ગૌ સેવકો માટે ભોજન –પ્રસાદનો કાર્યક્રમ પણ રાખેલ છે. (જૈન ભોજનની પણ વ્યવસ્થા પણ રાખેલ છે.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *